વરસાદ ના પ્રકાર

🌧🌧🌧વરસાદ ના પ્રકાર🌦🌦🌦🌦
💦🌧🌦☁🌨💦🌦☁️(ભાગ 1)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

મિત્રો છેલ્લા કેટલાય દિવસો થી સમાચાર પત્રોમાં વરસાદ ના સમાચાર આવે છે... પરંતુ એમા કયારેય વરસાદ ના પ્રકાર ની વાત કરવામાં નહીં આવે...
સાંબેલાધાર વરસાદ ના સમાચાર આવશે..
પણ આ સાંબેલાધાર શું છે? એની વ્યાખ્યા આપવા મા નહી આવતી....
કોઈ પબ્લીકેશન ની ચોપડીઓમાં પણ આનો ઉલ્લેખ કરવામાં નહી આવતો...

📌વરસાદ કઈ રીતે માપવામાં આવે છે ???
1 ઈંચ = મિ.મી ?
❓કુત્રિમ વરસાદ અટલે શું ??
❓વાદળ એટલે શું??  વાદળો શેના બનેલા હોય છે ??
✨✨✨✨✨✨✨✨✨✨✨✨
મિત્રો આજે હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ સમજાવવાની કે વરસાદ ના પ્રકાર કેટલાં છે ?.. આ સાંબેલાધાર શું છે ?
1 ઈંચ = મિ.મી ?
❓કુત્રિમ વરસાદ અટલે શું ??
❓વાદળ એટલે શું??  વાદળો શેના બનેલા હોય છે ??
❓આ વરસાદ કઈ રીતે માપવામાં આવે છે..
🖌⚡વિજળી શું છે ??
⚡વિજળી કઈ રીતે ને શા માટે થાય છે ???
આવા બધા જ પ્રશ્નનો ના જવાબ આપવા ની જરૂર કોશીશ કરીશ... જો કોઈ ને પણ મિત્રો આ વિશે વધુ માહિતી હોય તો મને અચૂક જણાવી....
⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
✨✨✨
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ચોમાસું. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. 
☸🕉હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે અષાઢ,
શ્રાવણ , ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.
✨✨✨✨✨✨✨✨✨
⛈મેઘ શબ્દનો અર્થ વરસાદ થાય છે. ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે. તેના ઉપરથી કહેવત પણ બનેલ છે :

🌦બારે મેઘ ખાંગા થવા 🌦, જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે. લોક સાહિત્યમાં મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે:
🌩🌩🌩🌩🌩🌩🌩
*વરસાદ ના પ્રકારો*

🌦1. *ફર ફર* – માત્ર રૂંવાડાં ભીના કરે એવો વરસાદ…
🌦2. *છાંટા* – પાણીના છાંટા ટપક્વા માંડે એવો વરસાદ…
⛈3. *ફોરાં*- મોટા મોટા છાંટા તૂટી પડે એવો વરસાદ…
⛈4. *કરા* – જ્યારે છાંટા મોટુ સ્વરૂપ લઈ આપણને મોંઢા ઉપર તડાતડ વાગવા લાગે એવો વરસાદ…
⛈5. *પચેડિયો* – માથા ઉપર પચેડિ નુ રક્ષણ લઈને ભાગવું પડે એવો વરસાદ…
🌧6. *નેવાધાર* – ઘર ના નળીયા સંતૃપ્ત થયા પછી નેવાની નીચે બાલ્દી મૂકી શકો એવી ધાર થાય એવો વરસાદ…
🌧7. *મોલિયો* – ખેતરમા ઊભા પાક ને જીવનદાન આપે એવો વરસાદ…
⛈8. *અનરાધાર* – છાંટા, ફોરાં, કરા બધાય ભેળા મળી રીતસર પાણીની ધારો વરસતી હોય એવો વરસાદ…
⛈9. *મુશળધાર* – બધી ધારાઓ ભેગી મળી જાણે સૂપડે સૂપડે પાણી પડતું હોય એવો વરસાદ…
⛈10. *ઢેફા ભાંગ* – ખેતરોની માટીઓના ઢેફા પણ ભાંગી નાખે એવો વરસાદ…
⛈11. *સાંબેલાધાર* – ખેતરોના કયારાઓ ભરાય જાય અને કુવાની સપાટીઓ ઉપર આવી જાય એવો વરસાદ….
⛈12. *હેલી* – સાંબેલાધાર વરસાદ પણ જો સતત અઠવાડિયા સુધી વરસ્યા કરે તો હેલી આવી એમ કેહવાય…

*અને ઉપર જણાવેલ તમામ પ્રકારના વરસાદો જ્યારે એકી સાથે ટુટી પડે ત્યારે બારેય મેઘ ખાંગા થયા એમ કેહવાય….!!

📚ભગવદ્ગોમંડલ પ્રમાણે મેઘ શબ્દના આ ઉપરાંતના અર્થ નીચે પ્રમાણે છે  :
⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈

સંગીતના મુખ્ય છ રાગોમાંનો એક રાગ. (સંગીત)
કિષ્કિંધાની પશ્ચિમે આવેલો એ નામનો એક પર્વત. જળની વૃષ્ટિ કરનાર દેવ. એ નામનો એક રાક્ષસ. શિવનાં હજાર માંહેનું એક નામ. (પુરાણ પ્રમાણે)
એક પ્રકારનો છંદ (પિંગળશાસ્ત્ર પ્રમાણે)
ઝાકળ. ટોળું; સમૂહ. તાંદળજાનું શાક કે ભાજી. નાગરમોથ નામની વનસ્પતિ. એક જાતનું સુગંધી ઘાસ.
એક જાતનું ઘર. (શિલ્પવિદ્યા પ્રમાણે)\

🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧


⏳⌛️⏳⌛️વરસાદમાપક:⏳⌛️⏳⌛️


⏳વરસાદ એકમ સમય માટે લંબાઈના એકમમાં મપાય છે, સામાન્યરીતે મિલિમીટર પ્રતિ કલાકમાં,  કે જે દેશોમાં ઈમ્પિરિયલ એકમોનો વપરાશ છે ત્યાં ઈંચ પ્રતિ કલાકમાં.
⌛️જેમાં "લંબાઈ", કે વધુ સ્પષ્ટતાપૂર્વક કહીયે તો, "ઊંડાઈ" મપાય છે તે સપાટ, આડી અને અભેદ્ય સપાટી પર એક ચોક્કસ સમયગાળા, સામાન્ય રીતે કલાક, દરમીયાન પડેલાં વરસાદના પાણીની ઊંડાઈનું માપ હોય છે.
⏳એક મિલિમીટર વરસાદ એટલે એક ચોરસ મીટર સપાટી પર પડેલું એક લીટર પાણી એમ ગણાય છે.
⌛️વરસાદ માપવાનો પ્રમાણભૂત રસ્તો "પ્રમાણભૂત વરસાદમાપક" છે,
👉 જે ૧૦૦-મિ.મી. (૪-ઈંચ) પ્લાસ્ટીક બનાવટના અને ૨૦૦-મિ.મી. (૮-ઈંચ) ધાતુ બનાવટના મળે છે. 
👉 અંદરનો નળાકાર ૨૫ મિ.મી (૦.૯૮ ઇં) વરસાદથી ભરાય છે, પછી ઉભરાતું પાણી બહારના નળાકારમાં આવે છે.
👉પ્લાસ્ટીકના માપકમાં અંદરના નળાકારમાં નીચે તરફ ૦.૨૫ મિ.મી (૦.૦૦૯૮ ઇં) સુધીનું માપ લખાયેલું હોય છે, જ્યારે ધાતુના માપકમાં નીચે તરફ ૦.૨૫ મિ.મી (૦.૦૦૯૮ ઇં) સુધીનું માપ લખાયેલી એક પટ્ટીની જરૂર પડે છે. 
👉વરસાદમાપક દ્વારા એકઠા થતા આંકડાઓ હવામાન ખાતાની કચેરીઓ કે મધ્યસ્થ હવામાન સંસ્થાઓને મોકલાય છે જ્યાં તેનો રેકર્ડ રાખવામાં આવે છે.


🌫🌫🌫🌫માવઠું🌫🌫🌫🌫🌫

ચોમાસા સિવાયના કમોસમી વરસાદને માવઠું કહે છે.
મોટાભાગે માવઠું શિયાળા દરમિયાન થતું હોય છે. પરંતુ, ઉનાળામાં પણ માવઠું થઇ શકે છે. આવો વરસાદ મોટાભાગે પાકને ભારે નુકશાન પહોંચાડે છે.  શ
િયાળા પછી થતો વરસાદ કેરી તેમજ
ઘઉંના પાકને બગાડી શકે છે.

⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈

💦💦સૌથી વધુ વરસાદ💧💧

⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
🌧🌧
કપરાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કપરાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
💨🌩
આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં.૫-અ તેમ જ ધરમપુરથી
નાસિક જતો રાજ્ય ધોરી માર્ગ કપરાડા તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.



🌧⛈ચેરાપુંજી
💦💦💦💦💦💦💦💦💦💦
(જેની જોડણી
ચેરાપુન્જી કે ચેરાપૂંજી તરીકે પણ કરાય),
ભારતના મેધાલય રાજ્યના પૂર્વીય ખાસી પર્વતોના જિલ્લામાં આવેલું નગર છે. તે દુનિયાના સૌથી વરસાદી વિસ્તાર તરીકે પ્રસિદ્ધ છે. જોકે, હાલ તેની નજીકમાં આવેલા માવસિનરામમાં વધુ વરસાદ પડે છે. ચેરાપુંજી પરંપરાગત રીતે હીમ (ખાસી આદીવાસી સરદાર દ્વારા બનાવેલ એક નાનું રાજ્ય)ની રાજધાની છે, જેને સોહરા કે ચુરા તરીકે ઓળખવામાં આવે છે.

⛈આ શહેરનું મૂળ નામ સોહરા છે જેનું ઉચ્ચારણ "ચુરા" એ રીતે થાય છે, બ્રિટિશ લોકોએ ત્યારબાદ તેને બદલીને ચેરાપુંજી પાડ્યું. ચેરાપુંજીમાં સતત ચાલતા વરસાદ બાદ પણ ત્યાંના રહેવાસીઓને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મોટેભાગે તેમને પીવા લાયક પાણી મેળવવા માટે લાંબુ અંતર કપાવું પડે છે.
⛈તેની સરેરાશ ઊંચાઇ ૧,૪૮૪ મીટર (૪,૮૬૯ ફુ) છે. ચેરાપુંજી ખાસી પર્વતોની દક્ષિણ ટોચ પરર આવેલું છે, અને તેનું મુખ બાંગ્લાદેશ તરફ છે. બંગાળની ખાડી તરફથી ફૂંકાતા વરસાદી પવનોના કારણે ચેરાપુંજીના ઊભા ખડકોમાં આટલો ભારે વરસાદ થાય છે. આજ કારણે, આ વિસ્તારમાં ખુબ ભીનાશવાળું વાતાવરણ રહે છે.
🌩⛈ખેતીના વ્યવસાયમાં ચોમાસાની ઋતુમાં થતા વરસાદ પર ખૂબ મોટો આધાર રહેતો હોય છે. અલગ અલગ પાક માટે આવશ્યકતા અલગ હોય છે..જેમ કે...
કપાસ ......
❄️કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. 
⛈વરસાદ ની જરૂર - ૭૫ સેં. મી થી ૧૦૦ સેં. મી.



🌧🌩🌦🌨🌧🌦🌨🌦
🌧🌧🌧વરસાદ ના પ્રકાર🌦🌦🌦🌦
💦🌧🌦☁🌨💦🌦☁️(ભાગ 2)


મિત્રો છેલ્લા કેટલાય દિવસો થી સમાચાર પત્રોમાં વરસાદ ના સમાચાર આવે છે... પરંતુ એમા કયારેય વરસાદ ના પ્રકાર ની વાત કરવામાં નહીં આવે...
સાંબેલાધાર વરસાદ ના સમાચાર આવશે..
પણ આ સાંબેલાધાર શું છે? એની વ્યાખ્યા આપવા મા નહી આવતી....
કોઈ પબ્લીકેશન ની ચોપડીઓમાં પણ આનો ઉલ્લેખ કરવામાં નહી આવતો...

📌વરસાદ કઈ રીતે માપવામાં આવે છે ???
1 ઈંચ = મિ.મી ?
❓કુત્રિમ વરસાદ અટલે શું ??
❓વાદળ એટલે શું??  વાદળો શેના બનેલા હોય છે ??
✨✨✨✨✨✨✨✨✨✨✨✨
મિત્રો આજે હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ સમજાવવાની કે વરસાદ ના પ્રકાર કેટલાં છે ?.. આ સાંબેલાધાર શું છે ?
1 ઈંચ = મિ.મી ?
❓કુત્રિમ વરસાદ અટલે શું ??
❓વાદળ એટલે શું??  વાદળો શેના બનેલા હોય છે ??
❓આ વરસાદ કઈ રીતે માપવામાં આવે છે..
🖌⚡વિજળી શું છે ??
⚡વિજળી કઈ રીતે ને શા માટે થાય છે ???

⛈⛈⛈⛈⛈⛈⛈⛈
✨✨✨
વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, કારણ કે જળ એ જ જીવન છે. જો વરસાદ પડે તો જ પાણી આવે ને તો જ સામાન્ય જનજીવન આગળ ચાલે. વરસાદ આવે એટલે દરેકનાં શરીરમાં જાણે કે આનંદ અને ઉત્સાહનો સંચાર થાય છે, બહાર ફરવા હરવાનું મન થાય છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને મન આનંદવિભોર બની ઉઠે છે. નદી-નાળામાં પાણી આવે છે વૃક્ષો પર નવું જીવન ઉગે છે અને પુરો માનવ સમુદાય આ જોઇને આનંદીત થાય છે. સમગ્ર પ્રકૃતિ જાણે કે પોતાનો મિજાજ બદલે છે. આમ, વર્ષાઋતુમાં એક નવું જ વાતાવરણ જોવા મળે છે. 

👁🗨👁🗨👁🗨👁🗨દુકાળ👁🗨👁🗨👁🗨👁🗨👁🗨

જ્યારે એક દુકાળ (અથવા દુષ્કાળ ) મહિનાઓ અથવા વર્ષોની અવધિ માટે લંબાય છે ત્યારે એક ક્ષેત્રમાં પાણીના પુરવઠાની ઊણપ નોંધાય છે. કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ થયા છે ત્યારે ત્યાં દુષ્કાળ સર્જાય છે. તેની અસરગ્રસ્ત ક્ષેત્રના જૈવિક તંત્ર અને ખેતી પર એક વાસ્તવિક અસર જોઈ શકાય છે. દુકાળો કેટલાંય વર્ષો સુધી રહી શકે છે, તેમ છતાં ટૂંકો પણ તીવ્ર દુકાળ મહત્ત્વપૂર્ણ હાનિનું કારણ બની શકે છે  અને સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોચાડી શકે છે.
👁🗨♻️દુકાળના પ્રકારો
જેમ એક દુકાળ ચાલુ રહે છે, તેમ તેની આસપાસની પરિસ્થિતી ક્રમશઃ કથળતી રહે છે અને તેની અસર સ્થાનિક વસ્તી પર ક્રમશઃ વધતી રહે છે. લોકો દુકાળને ત્રણ મુખ્ય રીતે વ્યાખ્યાયિત કરે છેઃ
🔰1. જ્યારે સરેરાશ વરસાદ કરતાં ઓછા વરસાદની સાથે વિસ્તૃત સમયગાળો હોય ત્યારે મોસમી દુકાળ ત્યારે આવે છે. મોસમી દુકાળ સામાન્ય રીતે અન્ય પ્રકારના દુકાળો કરતાં અગાઉ પડતો હોય છે.
🔰2. ખેતીવિષયક દુકાળો એવા દુકાળો છે જે પાકના ઉત્પાદન પર અથવા જૈવિક તંત્રની હાર પર અસર કરે છે. આ પરિસ્થિતી ભેજના સ્તરમાં કોઈ પણ પરિવર્તન થયા વગર સ્વતંત્ર્યપણે પણ સર્જાઈ શકે છે, જ્યારે જમીનની પરિસ્થિતી અને ધોવાણ પાકો માટે ઓછા પ્રમાણમાં પાણીની ઉપબલ્ધતાથી ખેતીવિષયક નબળા આયોજનથી થાય છે. તેમ છતાં, પરંપરાગત દુકાળ સરેરાશ વરસાદ કરતાં ઓછા વરસાદના લંબાયેલા સમયગાળો તેનું કારણ છે.
🔰3. જ્યારે એક્વીફર, તળાવો જેવા સ્રોતોમાં ઉપલબ્ધ સંગ્રહિત પાણી આંકડાકીય સરેરાશ કરતાં નીચું જતું રહે ત્યારે હાઈડ્રોલોજીકલ દુકાળ આવે છે. હાઈડ્રોલોજીકલ દુકાળ ખૂબ જ ધીમે ધીમે દેખાય છે કારણ કે તેમાં ઉપલબ્ધ સંગ્રહિત પાણીનો ઉપયોગ થાય છે જે ઉપયોગમાં લેવાય છે પણ તેનું ફરીથી ભરવામાં આવતું નથી. ખેતીવિષયત દુકાળની જેમ, માત્ર વરસાદ ગુમાવવા કરતાં વધુ પરિસ્થિતી બગડે ત્યારે આ પરિસ્થિતી સર્જાઈ શકે છે. ઉદા તરીકે તાજેતરમાં કાઝાખ્સતાનને પાણીનો સંગ્રહ કરવા માટે વર્લ્ડ બેન્ક દ્વારા એક મોટી રકમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે પાણી સોવિયેત શાસન હેઠળ અરલ સમુદ્ર દ્વારા અન્ય રાષ્ટ્રોમાં વાળવામાં આવ્યું.  એવી જ પરિસ્થિતી તેમના સૌથી મોટા તળાવ, બાલ્ખાસની પણ છે, તે સંપૂર્ણ રીતે સૂકાઈ જવાના ભય હેઠળ છે. 
☁☁☁☁☁☁☁☁☁☁


🌦🌥⛅🌤વાદળ🌧🌦🌥🌦🌧🌥
🗯🗯🗯🗯🗯🗯🗯🗯🗯🗯🗯🗯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🗯વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફના કણોનો સમુહ છે. વૈજ્ઞાનીક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. 🗯જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૌજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. 
💭શરૂઆતના કણ કે ટીપાંના કદ અત્યંત સુક્ષ્મ હોય છે. સાનુકુળ પરિસ્થિતીમાં હવામાં મૌજુદ બાષ્પ આવા ટીપાંઓ પર ઠંડી પડી તેનું કદ વધારી શકે છે. તે ઉપરાંત બે ટીપાંઓના એકબીજામાં 
🗯💭વિલિનીકરણથી પણ તેમનું કદ વધી શકે છે. જ્યારે ટીપાંઓનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપે વરસે છે.

🗯💭વાતાવરણમાં સંવંહન (convection)ની પ્રક્રિયા દરમ્યાન રૂના ઢગ જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં થરની જેમ છવાઈ જતાં વાદળાં સ્ટ્રેસ્સ તરીકે અને બહુ ઉંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળ સિરસ તરીકે ઓળખાય છે.
🗯💭મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે મેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. 
💭🗯તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં 🚫⭕️🚫મિથેન , એમોનિયા અને
સલ્ફ્યુરીક એસિડના વાદળ બને છે.
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

મિત્રો છેલ્લા કેટલાય દિવસો થી સમાચાર પત્રોમાં વરસાદ ના સમાચાર આવે છે... પરંતુ એમા કયારેય વરસાદ ના પ્રકાર ની વાત કરવામાં નહીં આવે...
સાંબેલાધાર વરસાદ ના સમાચાર આવશે..
પણ આ સાંબેલાધાર શું છે? એની વ્યાખ્યા આપવા મા નહી આવતી....
કોઈ પબ્લીકેશન ની ચોપડીઓમાં પણ આનો ઉલ્લેખ કરવામાં નહી આવતો...

📌વરસાદ કઈ રીતે માપવામાં આવે છે ???
1 ઈંચ = મિ.મી ?
❓કુત્રિમ વરસાદ અટલે શું ??
❓વાદળ એટલે શું??  વાદળો શેના બનેલા હોય છે ??
✨✨✨✨✨✨✨✨✨✨✨✨
મિત્રો આજે હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ સમજાવવાની કે વરસાદ ના પ્રકાર કેટલાં છે ?.. આ સાંબેલાધાર શું છે ?
1 ઈંચ = મિ.મી ?
❓કુત્રિમ વરસાદ અટલે શું ??
❓વાદળ એટલે શું??  વાદળો શેના બનેલા હોય છે ??
❓આ વરસાદ કઈ રીતે માપવામાં આવે છે..
🖌⚡વિજળી શું છે ??

⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
✨✨✨☄⛈🌧🌧🌧
⛈⛈⛈⛈કૃત્રિમ વરસાદ🌦🌦🌦🌦

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🌧કુત્રિમ વરસાદ એ માનવ દ્વારા ચોક્કસ પ્રક્રિયાઓ કરી પાડવામાં આવતો વરસાદ. વર્તમાન પ્રદુષિત વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવાં પરિબળોને કારણે વરસાદ પડતો નથી અથવા ઓછો પડે છે, પરિણામે દુકાળની પરિસ્થિતિ ઉભી થાય છે.
આ કારણસર હાલના વૈજ્ઞાનિકોએ અનેક સંશોધન કરી આ રસ્તો કાઢ્યો છે.
આ પ્રક્રિયામાં આકાશમાં થોડા વાદળનું હોવું જરૂરી છે.

🌧⛈આ વાદળ પર સૂકો બરફ ( Dry ice) અથવા સિલ્વર આયોડાઈડ (Silver iodide ) અથવા સિલ્વર નાઈટ્રેટનો છંટકાવ કરવામાં આવે છે, 
❄️આથી ઠરી ગયેલા વાદળનું વિભાજન થઈ અને વરસાદ પડે છે. આ પ્રક્રિયાની સરળ રીત પણ શોધી કાઢવામાં આવી છે, 
🌦તે મુજબ સિલ્વર નાઈટ્રેટને વાયુ સ્વરૂપમાં ફેરવી, તેને આકાશમાં વાદળ ઉપર મુક્ત કરવાથી તે વાદળનું વિઘટન થાય છે અને વરસાદ પડે છે.

🌧સૌપ્રથમ વાર સંશોધન કરી ખેતીને ઉપયોગી એવો આ સફળ પ્રયોગ અમેરિકાના વિન્સેન્ટ શેફર (Vincent Joseph Schaefer ) નામના વૈજ્ઞાનિકે કર્યો હતો.
🔰🔰પ્રાચિન વર્ષા વિજ્ઞાનના આધારે, અખાત્રીજનો પવન, હોળીની ઝાળ, ભડલીના વાક્યો, ગરમી, વર્ષ દરમ્યાન વાદળોની સ્થિતિ પરથી વરસાદનો ગર્ભ, પવન, દનૈયાં, કસ, ચીતરી, વગેરેના સંકેતો જોઇએ. વર્ષાની આગાહી કરતા
🌊☑️કોયલ જેટલી વધુ ઉડે એટલો વરસાદ વધુ💠💠💠🌪🌪🌪🌫🌫
હાલમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે એને અમે કોયણ કહીએ છીએ. કોયણ જેટલી વધુ ઉડે એટલો વરસાદ વધુ પડે-
💠🌪🌪🌪🌪
ખૂબ લૂ પડે, પવન વધુ રહે, જંગલમાં પીલુનો ફાલ વધુ આવે, લીમડામાં ફૂલ વધુ આવે તો સારો વરસાદ પડે. આ વખતે આ બધા સંકેતો સારા છે-

🌪🌪હોળીની ઝાળ ઉગમણી હતી તે શુભ
આ વખતે હોળીની જ્વાળા ઉગમણી દીશામાં ગઇ હતી એટલે આ વર્ષે ચોક્કસપણે સારો વરસાદ થવાની સંભાવના છે.-

❄🌦❄🌦નૈઋત્યનું ચોમાસું સારું જાય🌥🌦🌦
‘આ વખતે ગરમી વધુ પડતા પાણીનું બાષ્પીભવન વધુ થયુ છે જેનાથી હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેશે અને નૈઋત્યનું ચોમાસું સારું જાય તેવી શક્યતા છે.’

🌪🌪અખાત્રીજના દિવસે આથમણો પવન વાયો હતો અને પૂર્વ દિશા તરફ જતો હતો આમ સુર્યોદયની સામે પવન જાય તે 'વનરાજી ખીલી ઉઠે 'અને સારો વરસાદ થાય એમ માનવામાં આવે છે.
🌊🌊🌊આમ, ચોમાસું-વાદળાં વિગેરેને આપણાં મૂડ-મન સાથે સીધો સંબંધ છે. કારણકે વાદળછાયા વાતાવરણમાં સૂર્યપ્રકાશ અપૂરતો હોય છે એટલે આવા વાતાવરણમાં મગજમાંનુ એક રાસાયણ
‘મિલોનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન’ ઓછું બને છે. જેના લીધે આપણા મૂડમાં ફેરફારો જોવા મળે છે.

🌊💦બાકી મારું(યુવરાજસિંહ જાડેજા) એવું નમ્ર નિવેદન તમામ વાચકરાજાઓને કે દોસ્તો, પુરા સાલ આપણે ત્રણ ઋતુથી ઘેરાયેલા છીએ. શિયાળો, ઉનાળો અને હવે આવ્યું છે ચોમાસું. દરેક ઋતુને પોતાનું કામ કરવા દેવું અને આપણે એટલું બધુ લક્ષ જ ન આપવું એ પ્રત્યે કે જેથી આપણાં મૂડનો સત્યાનાશ થાય. દરેક ઋતુનો પોતાનો આગવો મિજાજ છે, લખણ છે, આદત છે, નામ છે અને અમુક રીતે બદનામ પણ છે. માટે દરેક ઋતુમાં આપણે જલસા કરવાનાં. વરસાદ પડે, ધુમધડાકા થાય તો એને એનું કામ કરવા દેવું અને આપણે આપણું. વરસે છે તો છો ને વરસતો. ભલેને એ પણ જલસા કરે ને જો મન 
થાય તો આપણે પણ નીકળી પડવાનું યાર દોસ્તોને લઇને પલળવા, ભિંજાવા અને તરબોળ થવા, મનથી, તનથી.

🌦🌦ચલો મારા સાથે  મોસમને વધાવીએ..
ભારતીય ફિલસૂફી પ્રમાણે દરેક મોસમને વધાવવી જોઈએ અને ખાસ તો વર્ષાઋતુને
વધાવવી જ જોઈએ.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે, જે હૈયાનું ગામ છે …

🌧🌧🌧વરસાદ ના પ્રકાર🌦🌦🌦🌦
💦🌧🌦☁
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
(9099409723)
મિત્રો છેલ્લા કેટલાય દિવસો થી સમાચાર પત્રોમાં વરસાદ ના સમાચાર આવે છે... પરંતુ એમા કયારેય વરસાદ ના પ્રકાર ની વાત કરવામાં નહીં આવે...
સાંબેલાધાર વરસાદ ના સમાચાર આવશે..
પણ આ સાંબેલાધાર શું છે? એની વ્યાખ્યા આપવા મા નહી આવતી....
કોઈ પબ્લીકેશન ની ચોપડીઓમાં પણ આનો ઉલ્લેખ કરવામાં નહી આવતો...
✨✨✨✨✨✨✨✨
મિત્રો આજે હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ સમજાવવાની કે
❓વાદળ એટલે શું??  
🖌⚡વિજળી શું છે ??
⚡વિજળી કઈ રીતે ને શા માટે થાય છે ???

✨✨✨
🌩⚡️🌩⚡️🌩⚡️🌩⚡️🌩⚡️🌩
વીજળી કેમ પડે છે, શુ છે તેનુ વૈજ્ઞાનિક કારણ ?
⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

મોટાભાગે માનસૂન આવ્યા પછી કે વરસાદમાં વિજળી કડકવાની અને પડવાની ઘટના સામે આવે છે. બીજી બાજુ આને લોકો દ્વારા આકાશીય ઘટના કે પ્રાકૃતિક વિપદા માનતા ચૂપચાપ રહી જાય છે. પણ શુ તમે જાણો છો કે આકાશમાં વીજળી કેમ કડકે છે.
✍તો હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ સમજાવવાની તમને 
⚡️વીજળી પડે ત્યારે ખરેખર શું થાય છે.
⚡️જમીન સુધી આવતી વીજળી કેટલી જોખમી?
⚡️વીજળી પડવાની સૌથી વધુ સંભાવના
⚡️વીજળીના વિવિધ પ્રકારો

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
વીજળી થવી અને પડવી એટલે શું? 
વિજળી ના પ્રકાર.....
⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
ચોમાસામાં મુશળધાર વરસાદ સાથે આંખો આંજી નાખે એવા ચમકારા કરતી અને કાન ફાડી નાખે એવા કડાકા કરતી વીજળી વિશે થોડીક ટેક્નિકલ છતાં મજેદાર જાણકારી મેળવીએ. કુદરતનો ખેલ જ એવો છે કે વરસાદ, વાદળાંઓની ગડગડાટી અને વીજળીના ચમકારા વગર વર્ષાઋતુ પૂરી થાય જ નહીં.

⚡️⚡️⚡️ચોમાસા દરમ્યાન આપણે અખબારોમાં વાંચીએ છીએ કે દેશના અમુક વિસ્તારમાં વીજળી પડવાથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં, ગુજરાતના એક ગામડામાં વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા પાંચ ખેડૂતો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્રના એક ગામની બહાર વીજળી પડવાથી વૃક્ષ નીચે ઊભેલા બે કિસાનો અને ત્રણ ગાય મૃત્યુ પામ્યાં. હવે વર્ષાઋતુમાં વરસાદ સાથે મેઘગર્જના અને વીજળીના ચમકારા તો સ્વાભાવિક ઘટના છે, પરંતુ વીજળી પડવી એટલે શું? વીજળી પડવાથી કોઈ માણસ કે પશુ કાં તો ગંભીર રીતે દાઝી જાય અથવા મૃત્યુ પામે. અમુક ઘટનામાં તો વીજળી કોઈ વૃક્ષ પર ત્રાટકે તો એ ઝાડ પણ સુકાઈ જાય અને એના થડમાં ઊભી તિરાડ સુધ્ધાં પડી જાય. આવું બનવાનાં ચોક્કસ કારણો શાં છે? આ પ્રાકૃતિક ઘટના સમજવી જરૂરી છે.
⚡️⚡️⚡️વીજળી પડે ત્યારે ખરેખર શું થાય?
સૂર્યની ગરમીને કારણે જે-તે વિસ્તારની હવા ગરમ અને પાતળી બનીને ઉપરના વાતાવરણમાં ચડી જાય. ઉપરના વાતાવરણમાં જઈને એ હવા ઠંડી થાય. ઠંડી થયેલી હવામાં ભેજનું પ્રમાણ વધી જાય અને એમાંથી પાણીનાં અસંખ્ય બિંદુઓ સાથે બરફના કણો પણ સર્જાય. આ પ્રક્રિયા ધરતીથી ફક્ત ૧૫ કિલોમીટરના અંતરે તરતાં ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાંઓમાં થાય. ત્યાર બાદ જળનાં બિંદુઓ અને બરફના કણો ભેગાં થઈને પ્રચંડ ગતિએ ગોળ-ગોળ ઘૂમવા લાગે અને સાથોસાથ નીચેના વાતાવરણમાં તરતાં વાદળાંઓ ઊતરી આવે. આ પ્રક્રિયા દરમ્યાન એમાં કુદરતી રીતે જ વિદ્યુત ચુંબકીય ઘર્ષણ પેદા થાય અને વીજળી ઉત્પન્ન થાય. ટેક્નિકલી સમજીએ તો વાદળાંઓમાં સર્જાતા •ણ વિદ્યુતભાર (-) અને ઘન વિદ્યુતભાર (+)ને કારણે વીજળી પેદા થાય છે.

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
⚡️⚡️⚡️⚡️🌩હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ આ સમગ્ર ગતિવિધિ કોઈ પર્વત પરથી જળનો પ્રવાહ તીવ્ર ગતિથી ધસમસતો જમીન તરફ આવે એવી રીતે થાય છે. પાણીનો પ્રવાહ પહાડ પરથી નીચે જમીન ભણી આવે ત્યારે એના અગ્ર ભાગની ગતિ સૌથી વધુ હોય છે. આ પ્રક્રિયા દરમ્યાન જળના આગળના મુખ્ય અને મોટા ભાગમાંથી અમુક નાના-નાના હિસ્સા છૂટા પડીને આડાઅવળા ફેંકાય છે. વળી પ્રવાહનો એ અગ્ર હિસ્સો છેક જમીન સુધી આવે ત્યારે જમીન સાથે જોરથી અથડાય છે. પરિણામે પ્રવાહના એ આગળના ભાગમાંથી પણ અમુક હિસ્સો છૂટો પડીને દૂર ફેંકાય છે. કંઈક આ જ રીતે આકાશમાંનાં વાદળાંઓમાં વીજળી પેદા થાય ત્યારે એમાં ભયંકર સ્પાર્ક થાય છે. આવા સ્પાર્કને આપણે સામાન્ય ભાષામાં વીજળી થઈ એમ કહીએ છીએ. જોકે વીજળીના એ સ્પાક્ર્સ કુદરતી રીતે જ વાદળાંઓમાંથી નીચેના વાતાવરણ તરફ ફેંકાય છે. વીજળીના ચમકારા નીચેની તરફ ફેંકાય ત્યારે એના અગ્ર ભાગમાંથી કેટલાક નાના-નાના હિસ્સા તૂટી પડે - પર્વત પરથી નીચે ધસી આવતા પેલા પાણીના પ્રવાહના આગળના ભાગમાંથી છૂટા પડતા નાના-નાના હિસ્સાની જેમ. જોકે વીજળીના એ બધા નાના-નાના હિસ્સા જમીન સુધી નથી પહોંચતા, પરંતુ એકાદ નાનકડો હિસ્સો છૂટો પડીને છેક ધરતી સુધી આવી જાય છે. વીજળીનો જે સૂક્ષ્મ હિસ્સો છેક ધરતી સુધી આવી જાય એને વીજળી પડી એમ કહેવાય.

વીજળીનો જે સૂક્ષ્મ હિસ્સો છૂટો પડીને જમીન ભણી ફંટાય એને જમીન સુધી પહોંચવામાં ફ્ક્ત ૨૦ મિલી-સેકન્ડનો સમય થાય છે. વીજળી પડવાની આ ગતિવિધિ કેટલી ઝડપથી થતી હશે એની કલ્પના કરવા જેવી છે.
🌪🌪⛈⛈જમીન સુધી આવતી વીજળી કેટલી જોખમી?❓❓❓❓
હવામાનશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ વીજળીના એક કડાકામાં લગભગ ૧૦૦ મિલ્યન વૉલ્ટ્સ (૧૦ કરોડ વૉલ્ટ્સ) અથવા એના કરતાં પણ વધુ વૉલ્ટ્સની શક્તિ હોય છે. આટલી અતિ પ્રચંડ તાકાતથી વીજળી જે કોઈ વિસ્તારમાં ત્રાટકે ત્યાં જમીનમાં ઊંડો ખાડો પડી જાય અને ત્યાં કોઈ માણસ, પશુ કે વૃક્ષ હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં એનું નામનિશાન મટી જાય. ઘરમાં કે પછી બહાર કોઈ વ્યક્તિને હળવો ઇલેક્ટ્રિક શૉક લાગે તો પણ તે ઘણું દાઝી જાય છે અથવા તેની પરિસ્થિતિ ગંભીર બની જાય છે તો કરોડો ડિગ્રી વૉલ્ટ્સની અસર કેટલી ઘાતક હોય એની કલ્પના જ કરવી રહી. વળી જે કોઈ સ્થળે વીજળી પડવાની ઘટના બને ત્યાં મગજની ન
સો ફાટી જાય એવો અતિ ભયાનક કડાકો પણ થાય અને આખો વિસ્તાર રીતસર ખળભળી ઊઠે. ખાસ કરીને પશુઓ અને પંખીઓ પ્રકૃતિના આવા રૌદ્ર સ્વરૂપથી અવાચક થઈ જાય


👁🗨👁🗨👁🗨વીજળી પડવાની સૌથી વધુ સંભાવના❓❓❓❓


વીજળી પડવાની શક્યતાને પૃથ્વી પરની ધરતીમાંનાં કુદરતી તત્વો સાથે સીધો સંબંધ છે. જમીનમાં વિવિધ પ્રકારનાં રાસાયણિક અને ખનિજ તત્વો હોય છે. ઉપરાંત ખડકોના બંધારણ અને એનાં વિશિષ્ટ તત્વો સાથે પણ સંબંધ હોય છે. ઉદાહરણરૂપે જે જમીનમાં સૌથી વધુ મૅગ્નેટિક તત્વો હોય ત્યાં વીજળી ત્રાટકવાનું જોખમ સૌથી વધુ રહે છે, કારણ કે આવાં મૅગ્નેટિક તત્વો વીજળીને સૌથી વધુ આકર્ષે છે. ઉપરાંત જે વિસ્તારના ખડકોમાં ગ્રેનાઇટ અને મૅગ્નેટિક તત્વો વધુ હોય ત્યાં પણ વીજળી પડવાનું જોખમ ઘણું વધી જાય છે. ભારતમાં કેરળ અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં વીજળી ત્રાટકવાની ઘટનાઓ સૌથી વધુ બને છે. ઉત્તરાખંડના ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદરીનાથ, ઉત્તર-કાશી વગેરે વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં વીજળી ત્રાટકવાની ઘટનાઓમાં દર વર્ષે ઘણી વ્યક્તિઓનાં મૃત્યુ થાય છે. આનો અર્થ એવો થયો કે ઉત્તરાખંડની અને નાશિકની જમીનમાં અને ખડકોમાં મૅગ્નેટિક અને તત્વોનું પ્રમાણ વધારે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


વીજળીના વિવિધ પ્રકારો


આમ તો આકાશમાં ચમકતી વીજળી એકસરખી લાગે, પરંતુ હકીકત એ છે કે હવામાનશાસ્ત્રીઓએ સઘન સંશોધન અને અભ્યાસના આધારે વીજળીના પણ જુદા-જુદા પ્રકાર નક્કી કર્યા છે. ઉદાહરણરૂપે ક્લાઉડ-ટુ-ક્લાઉડ લાઇટનિંગ (એટલે કે વાદળાથી વાદળા સુધી થતી વીજળી), પૉઝિટિવ લાઇટનિંગ, રિબન લાઇટનિંગ, ફોર્કડ લાઇટનિંગ, રૉકેટ લાઇટનિંગ, બૉલ લાઇટનિંગ, બ્લુ લાઇટનિંગ, અપર ઍટ્મોસ્ફિયરિક લાઇટનિંગ વગેરે. રળિયામણી, મનોહર અને હરિયાળી પ્રકૃતિનાં આ બધાં ભયાનક અને બિહામણાં સ્વરૂપો પણ જાણવા-સમજવાં જેવાં છે.
⚡️🌩
કે આકાશમાં અપોજીટ એનર્જીના વાદળ હવાથી ઉમડતા અને ઘુમડતા રહે છે. આ વિપરિત દિશામાં જતા એકબીજા સાથે અથડાય છે. તેનાથી થનારા ઘર્ષણથી વીજળી પેદા થાય છે જે ધરતી પર પડે છે. આકાશમાં કોઈ પ્રકારનું કંડક્ટર ન હોવાથી વીજળી પૃથ્વી પર કંડક્ટરની શોધમાં પહોંચી જાય છે. જેનાથી નુકશાન થાય છે. ધરતી પર પહોંચ્યા પછી વિજળીને કંડક્ટરની જરૂર પડે છે. આકાશીય વિજળી જ્યારે લોખંડના થાંબલાની આસપાસથી પસાર થાય છે તો તે કંડક્ટરનુ કામ કરે છે. એ સમયે કોઈ વ્યક્તિ જો તેના સંપર્કમાં આવે છે તો તેનો જીવ પણ જઈ શકે છે. ડેમેજ થઈ જાય છે..

🌩ડેમેજ થઈ જાય છે ટિશૂજ, બોડી પર પડે છે ઈફેક્ટ. - આસમાની વિજળીની અસર હ્યૂમન બૉડી પર અનેક ગણી પડે છે. ડીપ બર્ન થવાથી ટિશૂજ ડેમેજ થઈ જાય છે. તેમને સહેલાઈથી ઠીક નથી કરી શકાતી. વિજળીની અસર નર્વસ સિસ્ટમ પર પડે છે. હાર્ટ અટેક થવાથી મોત થઈ જાય છે. તેની અસરથી શારીરિક અપંગતાનો ખતરો રહે છે.
⛈જાણો કેવી રીતે બચશો વિજળીથી -⚡️
ઈલેક્ટ્રીકલ મિકેનિકને કહીને ઘરમાં તડિત આઘાત/લાઈટિંગ રોડ (આ એક પ્રકારનું એંટિના હોય છે. જે વિજળી દરમિયાન અર્થિંગનુ કામ કરે છે) લગાવવુ જોઈએ. આંધી આવતા જ ટીવી, રેડિયો, કંમ્પ્યૂટર બધા મોડેમ અને પાવર પ્લગ કાઢી નાખો. ઈલેક્ટ્રિક એપ્લાએંસેસને ઓફ કરી દેવુ જોઈએ. આ દરમિયાન મોબાઈલ યૂઝ કરવાથી બચો. ઉઘાડા પગે જમીન કે ટાઈલ્સ પર ઉભા ન રહો. વીજળી ઉપકરણોથી દૂર રહો. વીજળી ઉત્પન્ન કરનારી વસ્તુઓને દૂર રાખો. રેડિએટર, ફોન, ધાતુના પાઈપ, સ્ટોવ વગેરે. ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં જવાથી બચો. જો તમે ખુલ્લા મેદાન પર હોય તો કોઈ બિલ્ડિંગમાં સંતાય જવાનો પ્રયત્ન કરો. 
ભીના કપડાને કારણે વજ્રપાતની અસર ઓછી થઈ જાય છે. આકાશેયે વીજળીનુ તપામાન સૂર્યની ગરમીથી પણ વધુ હોય છે. વિજળી મિલી સેંકડથી ઓછા સમય માટે રોકાય છે. જો વિજળી ક કોઈ વ્યક્તિ પર પડે છે તો સૌથી વધુ અસર તેના માથા, ખભા અને ગળા પર થાય છે.

⚡️⚡️⚡️અનેક માન્યતાઓ પણ છે.⚡️
( હુ અાને માન્યતાઓ કહું કે અંધશ્રદ્ધા)

😂- છાણ પર વીજળી પડવાથી છાણ સોનું બની જાય છે.
😂- મકાન પર વીજળી પડવાથી અગાશીના સળિયા અષ્ટધાતુ બની જાય છે.
😂- પીપળો, વડ, પેપરીફેરી. તાડ જેવા વૃક્ષો પર વીજળી વધુ પડે છે. કોઈ વસ્તુ પર વીજળી પડ્યા પછે ત્યા ફરીથી વીજળી નથી પડતી. રબર, ટાયર કે ફોમ તેનાથી બચાવ કરી શકાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt