૯_ઓગષ્ટ વિશ્વ_આદિવાસી_દિવસ


💂💂વર્લ્ડ ટ્રાઈબલ ડે💂💂
🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

💂આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.

💂1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા
ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.

👉ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી સહકારી ડેરીઓ છે. અમુલ, સુમુલ જેવી એક પણ ડેરી આદિવાસી વિસ્તારોમાં નથી. એટલું જ નહિ, આદિવાસી વિસ્તારની ગાય રોજનું 500 ગ્રામ દૂધ આપે છે,અહીં ગૌ વિકાસના ખાસ પ્રયાસો નથી થયા, એક વખત સરકારે નક્કી કર્યું કે આદિવાસીઓને ભેંસ આપવી, જેથી દૂધનો ઉતાર વધુ આવે અને વેચીને થોડી ઘણી કમાણી કરી શકે. હવે ભેંસ એ મેદાની વિસ્તારનું પશુ છે, તે ઉબડ ખાબડ વિસ્તારમાં ચરી- ફરી ન શકે.આથી એક પણ ભેંસ આદિવાસી પાસે ન રહી. કેવી રીતે ન રહી તે હકીકત તપાસવા જેવી છ

💂પહેલેથી આદિવાસી-બિન આદિવાસી અક્ષરજ્ઞાનનું અંતર 20 ટકા રહ્યું છે, ખાસ પ્રયાસો કરવા છતાં તે ગાળો ઘટાડી શકાયો નથી. આપણે ત્યાં આજે 53 યુનિવર્સિટી છે, તેમાંથી જેને ખરેખર આદિવાસી વિસ્તાર કહેવાય તેમાં એક પણ યુનિવર્સિટી નથી. આ વિસ્તારમાં એક પણ તબીબી કે આયુર્વેદિક કોલેજ નથી. ઈજનેરી કોલેજ હમણાં સરકારે શરૂ કરી છે. સંશોધન એ વિકાસને વેગ આપે છે. ગુજરાતમાં 30 જેટલી ખાસ સંશોધન સંસ્થાઓ છે, તેમાંથી એક પણ આદિવાસી વિસ્તારમાં નથી. આ વિસ્તાર જે 17 ટકા છે તેમાં ગુજરાતના કુલ રોકાણના 2 ટકા રોકાણ થયું છે. તમામ ઓટા ઉદ્યોગો મેદાની વિસ્તારોમાં આવ્યા છે. એટલું જ નહિ, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે પ્રથમ જીઆઈડીસી અને પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેંટ રીજીયન (સર) પણ આદિવાસી વિસ્તારોની બહાર છે. આમ વિકાસના કોઈ પણ માપદંડો લો તો આદિવાસી વિસ્તારોમાં નથી અને તેથી કરીને આદિવાસીઓ પછાત દેખાય છે. આ પરિસ્થિતિ હલ કરવા માટે યુનોએ 1994થી 2004 સુધી મૂળ નિવાસીઓ(આદિવાસીઓ)નો દસકો ઉજવ્યો. પછી 2004થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💂એવું નથી કે સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા. સ્વાતંત્ર્ય પછી સરકારે ખાસ આદિવાસી કાર્યક્રમો અપનાવ્યા. આ કાર્યક્રમોની અસર પણ પડી અને દસ-પંદર ટકાનો વિકાસ પણ થયો. એક ખાસ ટ્રાઇબલ સબ પ્લાન વિસ્તારો બનાવીને સરકારે ખાસ વહીવટતંત્ર મુકીને તેમનો વિકાસ કરવાની કોશિશ કરી. પરંતુ કેટલાક કાર્યક્રમો ઉપર જણાવેલા ભેંસ આપવાના કાર્યક્રમો જેવા નીવડ્યા. જો વિકાસ કાર્યક્રમોએ બરાબર કામ કર્યું હોત તો આદિવાસી-બિન આદિવાસીનું અંતર ઘટ્યું હોત અને આદિવાસીઓ મુખ્ય ધારાપ્રવાહમાં ભળી ગયા હોત, પરંતુ જુદી રીતે ભળ્યા. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ ન હોવાથી ઘણા આદિવાસીઓ 8 મહિના માટે મેદાની વિસ્તારોમાં આવીને ખેત મજુરી અને અન્ય મજુરી કરે છે. આજે મકાન ચણનાર મજુરો મુખ્યત્વે આદિવાસીઓ છે, જે શહેરોમાં ઝુંપડા બાંધીને રહે છે. આપણે તેમને ‘મામા’ જેવા અપમાનજનક શબ્દોથી ઓળખીએ છીએ. ગુજરાતનો કોઈ સમૃદ્ધ ખેડૂત જાતે ખેતી નથી કરતો. ખેતી કરે છે આદિવાસી મજુરો. યાદ રહે સૌરાષ્ટ્રના ખેડૂતોને જમીન સુધારણા હેઠળ 1956માં જમીન મળી હતી. હવે એ જ ખેડે તેની જમીનના સિધ્ધાંત મુજબ આ ખેડૂતોને જમીન મળવી જોઈએ કે નહિ/ જમીન ખેડે છે તે આદિવાસીને શું મળે છે અને જમીનમાલિક ને શું મળે છે તે તપાસનો વિષય છે.

1990 માં જાગૃતિ આવી અને જે કેટલાક આદિવાસીઓ ભણ્યા અને આદિવાસી વિસ્તારોની બહાર નીકળી નોકરી કરતા થયા તે ભદ્ર (એલીટ) કહેવાયા. આ ભદ્ર આદિવાસીઓ બિન-ભદ્રની જેમ મારા-તમારાથી જુદા નથી દેખાતા. પરંતુ આ ભદ્ર આદિવાસીઓની પાર્શ્વ ભૂમિકા આદિવાસી હોવાથી તેમને આ તફાવત સમજાય છે. આ પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર જગતમાં બની. 1991માં બ્રાઝીલના રીઓ ડી જાનેરોમાં મળેલી વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણે ખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને તેમને

પોતાના જંગલ, જમીન, પાણી અને અન્ય કુદરતી સ્રોતો પર પોતાના અધિકારોની માંગણી કરી. અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા. આ આદિવાસીઓ પોતાના અધિકારો વિષે લખવા લાગ્યા. તેમણે સાહિત્યમાં આદિવાસી સાહિત્યનો એક નવો ચાલ શરૂ કર્યો. ગુજરાતમાં એક વર્ષ પહેલા ભણેલા આદિવાસીઓએ આદિવાસી સાહિત્ય અકાદમી શરૂ કરી. કેટલાક લોકોએ સામયિકો પણ શરૂ કર્યાં. બિન રાજકીય સ્વરૂપે આદિવાસી એકતા સમિતિ ગઠિત થઇ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના લોકો સભ્યો છે, શરત એક જ કે તે આદિવાસી હોવો જોઈએ. 9 ઓગસ્ટના રોજ વ્યારામાં 30,000 આદિવાસીઓનું એક સંમેલન યોજાયું. આમાં આદિવાસી વિકાસના પ્રયાસોમાં આદિવાસીની ભાગીદારીની વાતો થઇ. સ્વાભાવિક છે, જે લોકો પોતાના વિકાસના નિર્ણયોમાં ભાગીદારી નથી મેળવી શકતા, તેમને અંગેના વિકાસ નિર્ણયો તેમના હિતોની વિરુદ્ધ જવાની શક્યતા વધુ રહેલી છે. આ નિર્ણયોમાં ભાગીદારી દ્વારા તેઓ તેમના જળ, જંગલ અને જમીનની બાબતોમાં તેમના અવાજની માંગણી કરે છે. તેઓ ટકાઉ વિકાસ ઈચ્છે છે, પર્યાવરણ બચી રહે તેમ ઈચ્છે છે. જંગલો જળવાઈ રહે તેમ ઈચ્છે છે. આજે તો આ આદિવાસી ભદ્ર વર્ગ ખુબ નાનો છે, પરંતુ જો અનામતો યોગ્ય રીતે અમલી બને તો તેમનો વ્યાપ વધશે અને આદિવાસી વિસ્તારોમાં તેમની ભાગીદારી સાર્થક બનશે

👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀
*૯_ઓગષ્ટ વિશ્વ_આદિવાસી_દિવસ*
👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏વિશ્વ_આદિવાસી_દિવસ નિમિત્તે આદિવાસી સમાજના
મિત્રો , ભાઇઔ - બેહનો , વડીલો , બાળકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
▪️🔳▪️🔳▪️🔳▪️🔳▪️🔳▪️
💂💂વર્લ્ડ ટ્રાઈબલ ડે💂💂
🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

💂આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.

💂1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા
ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.

👉ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી સહકારી ડેરીઓ છે. અમુલ, સુમુલ જેવી એક પણ ડેરી આદિવાસી વિસ્તારોમાં નથી. એટલું જ નહિ, આદિવાસી વિસ્તારની ગાય રોજનું 500 ગ્રામ દૂધ આપે છે,અહીં ગૌ વિકાસના ખાસ પ્રયાસો નથી થયા, એક વખત સરકારે નક્કી કર્યું કે આદિવાસીઓને ભેંસ આપવી, જેથી દૂધનો ઉતાર વધુ આવે અને વેચીને થોડી ઘણી કમાણી કરી શકે. હવે ભેંસ એ મેદાની વિસ્તારનું પશુ છે, તે ઉબડ ખાબડ વિસ્તારમાં ચરી- ફરી ન શકે.આથી એક પણ ભેંસ આદિવાસી પાસે ન રહી. કેવી રીતે ન રહી તે હકીકત તપાસવા જેવી છ

💂પહેલેથી આદિવાસી-બિન આદિવાસી અક્ષરજ્ઞાનનું અંતર 20 ટકા રહ્યું છે, ખાસ પ્રયાસો કરવા છતાં તે ગાળો ઘટાડી શકાયો નથી. આપણે ત્યાં આજે 53 યુનિવર્સિટી છે, તેમાંથી જેને ખરેખર આદિવાસી વિસ્તાર કહેવાય તેમાં એક પણ યુનિવર્સિટી નથી. આ વિસ્તારમાં એક પણ તબીબી કે આયુર્વેદિક કોલેજ નથી. ઈજનેરી કોલેજ હમણાં સરકારે શરૂ કરી છે. સંશોધન એ વિકાસને વેગ આપે છે. ગુજરાતમાં 30 જેટલી ખાસ સંશોધન સંસ્થાઓ છે, તેમાંથી એક પણ આદિવાસી વિસ્તારમાં નથી. આ વિસ્તાર જે 17 ટકા છે તેમાં ગુજરાતના કુલ રોકાણના 2 ટકા રોકાણ થયું છે. તમામ ઓટા ઉદ્યોગો મેદાની વિસ્તારોમાં આવ્યા છે. એટલું જ નહિ, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે પ્રથમ જીઆઈડીસી અને પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેંટ રીજીયન (સર) પણ આદિવાસી વિસ્તારોની બહાર છે. આમ વિકાસના કોઈ પણ માપદંડો લો તો આદિવાસી વિસ્તારોમાં નથી અને તેથી કરીને આદિવાસીઓ પછાત દેખાય છે. આ પરિસ્થિતિ હલ કરવા માટે યુનોએ 1994થી 2004 સુધી મૂળ નિવાસીઓ(આદિવાસીઓ)નો દસકો ઉજવ્યો. પછી 2004થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💂એવું નથી કે સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા. સ્વાતંત્ર્ય પછી સરકારે ખાસ આદિવાસી કાર્યક્રમો અપનાવ્યા. આ કાર્યક્રમોની અસર પણ પડી અને દસ-પંદર ટકાનો વિકાસ પણ થયો. એક ખાસ ટ્રાઇબલ સબ પ્લાન વિસ્તારો બનાવીને સરકારે ખાસ વહીવટતંત્ર મુકીને તેમનો વિકાસ કરવાની કોશિશ કરી. પરંતુ કેટલાક કાર્યક્રમો ઉપર જણાવેલા ભેંસ આપવાના કાર્યક્રમો જેવા નીવડ્યા. જો વિકાસ કાર્યક્રમોએ બરાબર કામ કર્યું હોત તો આદિવાસી-બિન આદિવાસીનું અંતર ઘટ્યું હોત અને આદિવાસીઓ મુખ્ય ધારાપ્રવાહમાં ભળી ગયા હોત, પરંતુ જુદી રીતે ભળ્યા. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ ન હોવાથી ઘણા આદિવાસીઓ 8 મહિના માટે મેદાની વિસ્તારોમાં આવીને ખેત મજુરી અને અન્ય મજુરી કરે છે. આજે મકાન ચણનાર મજુરો મુખ્યત્વે આદિવાસીઓ છે, જે શહેરોમાં ઝુંપડા બાંધીને રહે છે. આપણે તેમને ‘મામા’ જેવા અપમાનજનક શબ્દોથી ઓળખીએ છીએ. ગુજરાતનો કોઈ સમૃદ્ધ ખેડૂત જાતે ખેતી નથી કરતો. ખેતી કરે છે આદિવાસી મજુરો. યાદ રહે સૌરાષ્ટ્રના ખેડૂતોને જમીન સુધારણા હેઠળ 1956માં જમીન મળી હતી. હવે એ જ ખેડે તેની જમીનના સિધ્ધાંત મુજબ આ ખેડૂતોને જમીન મળવી જોઈએ કે નહિ/ જમીન ખેડે છે તે આદિવાસીને શું મળે છે અને જમીનમાલિક ને શું મળે છે તે તપાસનો વિષય છે.

1990 માં જાગૃતિ આવી અને જે કેટલાક આદિવાસીઓ ભણ્યા અને આદિવાસી વિસ્તારોની બહાર નીકળી નોકરી કરતા થયા તે ભદ્ર (એલીટ) કહેવાયા. આ ભદ્ર આદિવાસીઓ બિન-ભદ્રની જેમ મારા-તમારા

થી જુદા નથી દેખાતા. પરંતુ આ ભદ્ર આદિવાસીઓની પાર્શ્વ ભૂમિકા આદિવાસી હોવાથી તેમને આ તફાવત સમજાય છે. આ પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર જગતમાં બની. 1991માં બ્રાઝીલના રીઓ ડી જાનેરોમાં મળેલી વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણે ખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને તેમને

પોતાના જંગલ, જમીન, પાણી અને અન્ય કુદરતી સ્રોતો પર પોતાના અધિકારોની માંગણી કરી. અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા. આ આદિવાસીઓ પોતાના અધિકારો વિષે લખવા લાગ્યા. તેમણે સાહિત્યમાં આદિવાસી સાહિત્યનો એક નવો ચાલ શરૂ કર્યો. ગુજરાતમાં એક વર્ષ પહેલા ભણેલા આદિવાસીઓએ આદિવાસી સાહિત્ય અકાદમી શરૂ કરી. કેટલાક લોકોએ સામયિકો પણ શરૂ કર્યાં. બિન રાજકીય સ્વરૂપે આદિવાસી એકતા સમિતિ ગઠિત થઇ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના લોકો સભ્યો છે, શરત એક જ કે તે આદિવાસી હોવો જોઈએ. 9 ઓગસ્ટના રોજ વ્યારામાં 30,000 આદિવાસીઓનું એક સંમેલન યોજાયું. આમાં આદિવાસી વિકાસના પ્રયાસોમાં આદિવાસીની ભાગીદારીની વાતો થઇ. સ્વાભાવિક છે, જે લોકો પોતાના વિકાસના નિર્ણયોમાં ભાગીદારી નથી મેળવી શકતા, તેમને અંગેના વિકાસ નિર્ણયો તેમના હિતોની વિરુદ્ધ જવાની શક્યતા વધુ રહેલી છે. આ નિર્ણયોમાં ભાગીદારી દ્વારા તેઓ તેમના જળ, જંગલ અને જમીનની બાબતોમાં તેમના અવાજની માંગણી કરે છે. તેઓ ટકાઉ વિકાસ ઈચ્છે છે, પર્યાવરણ બચી રહે તેમ ઈચ્છે છે. જંગલો જળવાઈ રહે તેમ ઈચ્છે છે. આજે તો આ આદિવાસી ભદ્ર વર્ગ ખુબ નાનો છે, પરંતુ જો અનામતો યોગ્ય રીતે અમલી બને તો તેમનો વ્યાપ વધશે અને આદિવાસી વિસ્તારોમાં તેમની ભાગીદારી સાર્થક બનશે

♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
🔘⭕️🔘આદિવાસી⭕️🔘⭕️🔘
🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🔰આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
♻️🔰🔰ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા, ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

🔰♻️સામાજિક વ્યવસ્થા🎋☘🎋
આદિવાસી સમાજ માતૃપ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોડી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે.

♻️🔰ભાષા તથા વ્યાકરણ♻️🔰♻️
આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આમ જોઇયે તો તમામ આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં 🗣🗣બોલાતી ભીલી, ગામીત બોલી,
વસાવા બોલી, કુકણા બોલી, ધોડીયા બોલી,
ચૌધરી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે, જેની સરખામણી આપણે આધુનિક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.
♦️〰♻️પચાંગ મહિનાઓ
1. ડોણ નીતરા - જાન્યુઆરી-ફેબ્રુઆરી
2. ઉનાઇઓ - ફેબ્રુઆરી-માર્ચ
3. ખાડી - માર્ચ-એપ્રિલ
4. દાણી ખાડી - એપ્રિલ-મે
5. ઇન્દલ દેવિયો - મે-જૂન
6. ઉમાડિયા જાત્રા - જૂન-જુલાઇ
7. બોન્ડીપાડા જાત્રા - જુલાઇ-ઓગષ્ટ
8. હિરા જાત્રા - ઓગષ્ટ-સપ્ટેમ્બર
9. મારી માવા જાત્રા - સપ્ટેમ્બર-ઓક્ટોબર
10. કિલ્લા જાત્રા - ઓક્ટોબર-નવેમ્બર
11. દેવલિયો - નવેમ્બર-ડિસેમ્બર
12. ઘોડ જાત્રા - ડિસેમ્બર-જાન્યુઆરી
સપ્તાહ♻️♦️♦️
પહેલાનાં સમયમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું ત્યારે નવસારી પ્રાંતમાં
🔰સોનગઢ -મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝુમખામાં કોઇ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી, અને તે બજારના દિવસને તે ગામનાં નામ પ્રમાણે નામો અપાયા હતાં જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યા.🔰🔰
1. બંધારપાડિયો, વોડિઓ - સોમવાર
2. અરોહાર, બાણો, બોરડી - મંગળવાર
3. ઉમાડિયો, માંડવિઓ - બુધવાર
4. દેવ ગાડિયો, ઇશરવાડિયો - ગુરૂવાર
5. વલોડિયો, રાયપુરીયો - શુક્રવાર
6. વ્યારિયો, થાવરવાર - શનીવાર
7. ઈતવાર કે દીતવાર - રવિવાર

🌸🌼🌸લગ્નવિધી🌸🌼🌸
જેમાં છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા દહેજની રકમ નક્કી થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાય તો 〰♻️"પિયાણ દિવસ"(સગાઇ)નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અને ત્યારપછી જ જમણ ચાલુ થાય છે. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેના મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાડાની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

〰♦️જન્મવિધી♦️♦️〰
અન્ય સંસ્કૃતિઓની જેમ જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે કન્યા તેના પિયર જાય છે અને ત્યાં બાળકને જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીના સુધી પિયરમાં રહે છે. એક મહીના બાદ બાળકના મામા બાળકના માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.
💐💐💐મરણવિધી💐💐
આદિવાસીઓમા જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મ

ુકિત અપાય છે . સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકતી નથી તેથી તે સ્મશાનની બહાર ઉભી રહીને તેને વિદાય આપે છે. શબ ને તેનાં મૂળ દાગીના અને પસંદગીની વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પરાલૌકીક જીવનમાં તેમને આ વસ્તુઓની જરૂર પડશે, અને ત્યાર બાદ તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિયા સમાપ્ત થયા બાદ સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. મરણનાં ૧૨ અથવા ૪૦ દિવસ પછી તેની શોકસભા રખાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♻️પારંપરિક તહેવારો♻️♻️♻️
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
♻️♻️🔰હોળી
આ આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
🔰🔰ઉંદરીયો દેવ
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા બાદ કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યારબાદ ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર બાદ નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
♻️♻️🔰પોહોતિયો
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
🔰🔰નંદુરો દેવ
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
🔰♻️🔰આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાની સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.
🔰♻️♻️વાઘ દેવ
આદિવાસી પ્રજામાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
♻️🔰ચૌરી અમાસ
વાઘદેવ ઉજવાયા બાદ જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt