મહાન વ્યકિત અને તેમના કાર્યો તથા અન્ય જનરલ નોલેજ

નં. વ્યકિત તેમના કાર્યો

૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું
૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી



૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી
૧૦.ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી
૧૧.જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૧૫.જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્થાપના કરી
૧૬.ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું
૧૯.જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી
૨૦.ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી
૨૧.શેરપા તેનસિંગ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.દયાનંદ સરસ્વતી આર્યસમાજની સ્થાપના કરી
૨૩.ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૪.ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્થાપના કરી
૨૫.પોટ્ટી રામુલ્લુઆંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.ફાર્બસ સાહેબગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી
૨૭.ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.મદનમોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૯.મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્તાનની માગણી કરી
૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.મોર્લે મિન્ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.માસ્ટર તારાસિંગ અકાલી દળની સ્થાપના કરી
૩૩.રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી
૩૪.રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના કરી
૩૫.રાધાનાથ સિકદાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી
૩૬.વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮.લૉર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી
૩૯.લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.લોકમાન્ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨.સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી
૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪.સાને ગુરુજી આંતરભારતીની સ્થાપના કરી
૪૫.વીર સાવરકર હિન્દુ મહાસભાની સ્થાપના કરી
૪૬.સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી
૪૭.સ્વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી
૪૮.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
૪૯.શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્થાપના કરી
૫૦.શ્યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપના કરી
૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી
૫૨.અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી
૫૩.એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી
૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી
૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી
૫૯.ખાન અબ્દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી
૬૦.શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)


🔮પ્રકરણ - 2 આપણી આસપાસ શું ?🔮

📇પૃથ્વીના મુખ્ય આવરણો કેટલાં છે ?

✔ચાર

📇પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?

✔વાતાવરણ

📇મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

✔ 29%

📇પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?

✔ વાતાવરણ

📇પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ, તેને કયું આવરણ કહે છે ?

✔મૃદાવરણ

📇પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?

✔ મેગ્મા

📇જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?

✔ 71%

📇પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?

✔ચાર

📇મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

✔ વરસાદ

📇પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

✔ 97%

📇વાતાવરણમાં નાઈટ્રોજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

✔ 78%

📇વાતાવરણમાં ઑક્સિજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

✔ 21%

📇વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતાં રોકે છે ?

✔ ઓઝોન

📇ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ?

✔ ઘનીભવન

📇ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

✔CO2

📇વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં ક્યા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?

✔કાર્બન મોનોક્સાઈડ

📇આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?

✔ ઓઝોન

📇વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

✔ રજકણો

📇સૂર્યનું કુટુંબ ક્યા નામે ઓળખાય છે ?

✔સૌર પરિવાર

📇મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે ?

✔ 10 થી 11

📇પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, તેને શું કહે છે ?

✔જલાવરણ

📇પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે?

✔વાતાવરણ

📇વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?

✔1600 કિલોમીટર

📇વાતાવરણમાં ભારે વાયુ કયો છે ?

✔કાર્બન ડાયોક્સાઈડ

📇પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, તેને શું કહે છે ?

✔જીવાવરણ

📇પૃથ્વી પરનું કેટલું પાણી સમુદ્રમાં છે ?

✔ 97%

📇પૃથ્વીના ઉદ્ભવનો સ્વરૂપની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે ?

✔વાયુ, પ્રવાહી, ઘન

📇મૃદ એટલે શું ?

✔માટી

📇પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને શું કહે છે ?

✔ઘનાવરણ

📇ઘનાવરણને બીજું શું કહે છે ?

✔શીલાવરણ

📇પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે ?

✔64 થી 100 કિમી

📇આપણે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ શામાં વધારો થતો જાય છે ?

✔તાપમાનમાં

📇ગરમી અને દબાણ જેવાં બળો વચ્ચે સમતુલા જળવાય નહિ, ત્યારે કઈ આપત્તિ આવે ?

✔ જ્વાળામુખી

📇મારા ઉપર ઘર બાંધવામાં આવે છે, કહો હું કોણ ?

✔ મૃદાવરણ

📇આમાંથી કયું નામ મહાસાગરનું નથી ?

✔ ઍન્ટાર્કટિકા

📇સૌર પરિવારમાં માત્ર શાના પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે ?

✔ પૃથ્વી

📇જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે ?

✔મહાસાગર

📇વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે ?

✔ પાણી

📇ઑક્સિજનના જલદપણાને કયો વાયું મંદ કરે છે ?

✔નાઈટ્રોજન

📇ક્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ?

✔ ઑક્સિજન અને નાઈટ્રોજન

📇પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનાં પ્રમાણમાં શું થાય છે ?

✔ ઘટાડો થાય છે.

📇નીચેનામાંથી ભેજનું સ્વરૂપ કયું નથી ?

✔નદી

📇ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, તેને શું કહે છે ?

✔ ભેજ

📇પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થતો નથી ?

✔ કમ્પ્યુટર

📇જીવાવરણના અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી ?


✔સૂક્ષ્મ જીવાણુ
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt