ઈતિહાસમાં ૧૧ જુલાઈનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦
ઈતિહાસમાં ૧૧ જુલાઈનો દિવસ
⏳💡⏳💡⏳💡⏳💡⏳💡⏳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👪👨‍👩‍👧👨‍👩‍👧‍👦વિશ્વ વસતી દિવસ 7👨‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦

અબજનો આંકડો પાર કરી ગયેલી વસતી પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવે છે . વધતી વસતીથી કુદરતી સ્ત્રોતો પર પડતા દબાણ પ્રત્યે વિશ્વ હજી જાગૃત થયું નથી .
👩‍👩‍👧‍👧વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ
જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજ ને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.
જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, 'પાંચ અબજ દિન'ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ.

🎬📽🎥સિનેમેટોગ્રાફીની શોધ📽🎥

આધુનિક ફિલ્મોના શૂટિંગની ટેક્નોલોજી સિનેમેટોગ્રાફીની શોધ ફ્રેન્ચ સંશોધક બંધુઓ ઓગસ્ટ અને લુઇસ લ્યુમિયરે દુનિયા સામે 1895ની 11 જુલાઈએ રજૂ કરી હતી . 🎯તેઓ દુનિયાના સૌથી પહેલા ફિલ્મ મેકર ગણાય છે .

🖲🕹કોમેટની શોધનો વિશ્વ વિક્રમ🕹🖲

સૌર મંડળમાં આડેધડ રખડતા ટુકડા એટલે કે કોમેટના સંશોધનનો વિશ્વ વિક્રમ સર્જનાર ફ્રેન્ચ એસ્ટ્રોનોમર જીન- લુઇસ પોન્સે વર્ષ 1981ની 11 જુલાઈએ પહેલો કોમેટ શોધ્યો હતો . પોન્સે સૌથી વધુ 36 કોમેટની શોધ કરી છે .

💣💣🚂મુંબઈ ટ્રેન બોમ્બિંગ🚂💣💣

મુંબઈમાં સબર્બ લાઇન પર દોડતી સાત ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ્સમાં ત્રાસવાદીઓએ આજના દિવસે વર્ષ ૨૦૦૬માં ૧૧ મિનિટમાં સાત બ્લાસ્ટ કર્યા હતા .

🖼🖼🖼સ્કાયલેબ ખાબકી🖼🖼🖼

અમેરિકાની અંતરિક્ષ પ્રયોગશાળા વર્ષ ૧૯૭૯માં આજના દિવસે હિંદ મહાસાગરમાં ખાબકી હતી . જોકે , ૭૭. ૫ ટનની આ સ્કાયલેબથી કોઈને ઇજા પહોંચી નહોતી .

🏏⚾️🏏એક દિવસમાં 309 રન⚾️🏏

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડોનાલ્ડ બ્રેડમેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આજના દિવસે ૧૯૩૦માં એક જ દિવસમાં ૩૦૯ રન ફટકાર્યા હતા . આ વિક્રમ આજે પણ અકબંધ છે .

🎯૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'જીન-લુઇસ પોન્સે' (Jean-Louis Pons) પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી,જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.

🎯૧૮૯૩ – 'કોકિચી મિકિમોટો' (Kokichi Mikimoto) દ્વારા કુત્રીમ (cultured) મોતી (Pearl ) મેળવાયું.

🎯૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Lumière brothers )એ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.

🎯૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ
ટેલિવિઝન પ્રસારણ કરાયું.

🎯૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક,
સ્કાયલેબ ( Skylab), પૃથ્વીનાં વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં ટુટી પડ્યું.

🎯૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ ( United Nations ) અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧👪👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👨‍👨‍👦‍👦👩‍👦👩‍👩‍👧👨‍👨‍👦👩‍👩‍👦
👩‍👩‍👧‍👧👨‍👨‍👦👩‍👩‍👦‍👦વિશ્વ વસ્તી દિન👩‍👧👩‍👩‍👦👩‍👧
👨‍👨‍👧👨‍👨‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧👩‍👩‍👦👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧👨‍👨‍👦
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

વસ્તી એટલે જન સંખ્યા. વસ્તી એટલે માણસોનો વસવાટ. ઈ.સ. ૧૮૦૦માં વસ્તી વિશ્વની એક અબજ જેટલી થઇ હતી. જે ક્રમશ: વધતાં ઈ.સ. ૨૦૦૦માં વિશ્વની વસ્તી છ અબજ વીસ કરોડ થઇ. જે રીતે વસ્તી વધારો થયેલો જોવા મળે છે તેને આપણે વસ્તી વિસ્ફોટ જ કહી શકાય. ભારત આઝાદ થયો ત્યારે તેની વસ્તી ઈ.સ. ૧૯૦૧માં ૨૪ કરોડની હતી. જે ૧૯૯૧માં ત્રણ ગણી વધીને ૮૪ કરોડ પહોંચી ગઈ. ઈ.સ.૨૦ઓ૧ન વર્ષોમાં ૧૦૨.૭ કરોડની જનસંખ્યા પહોંચી ગઈ. અત્યારે ભારતની વસ્તીની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત એક વિશાલ દેશ છે. મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે આમ છતાંય ઔદ્યોગિક ક્રાંતિ અને બીજા કારણોસર મોટા શહેરોમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધવા લાગી છે. અત્યારે લગભગ ૭૨% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી વધવાના અનેક કારણો જવાબદાર છે. જન્મદર ઉંચો છે.હ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર આરોગ્યક્ષેત્રે સગવડોમાં વધારો અને તે અંગે જાગૃતિ આવવાથી મૃત્યુદરમાં ઘટાડો જોવામળે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt