કેમ ભારતીય નોટો પર ગાંધીજીનો જ ફોટો હોય છે?


આપણા દેશમાં ક્રાંતિકારીઓનો અભાવ ક્યારેય ન હતો તો આપણા દેશની ચલણી નોટો પર ફક્ત ગાંધીજીનો જ ફોટો કેમ હોય છે? આ વસ્તુ ખરેખર સાચી છે કે દેશના સ્વાતંત્ર્ય અપાવવામાં મહાત્મા ગાંધીની સૌથી મોટો ફાળો હતો, પણ દેશને આજાદી અપાવવા માટે ઘણા ક્રાંતિકારી લડાઈ કરી હતી અને ફાંસી પર ચઢ્યા હતા, તો પછી ગાંધીજીની જ છબી શા માટે? અમે તમને જણાવીશું કે શા માટે મહાત્મા ગાંધી તસવીર જ રખાઈ.

એક કારણ સમજી શકાય કે ગાંધીજી ભારતમાં હોય કે તેની બહાર તે સૌથી વધારે ઓળખીતા અને માન્ય હતા. ભારત વિવિધ પ્રકારના લોકો રહે છે. દરેક રાજ્યની માંગ હતી કે ચલણી નોટો પર તેમના રાજ્યના હેરોનો ફોટો આવે. હવે વાત હિંદુઓ અને મુસ્લિમોને ધર્મની પણ હતી. દરેક સંપ્રદાયનું કેહવું હતું કે ચલણી નોટો પર તેમના ધર્મના નેતાની છબી રાખવામાં આવે.

મહાત્મા ગાંધી જ એક એવા વ્યક્તિ હતા જ કોઈ ધરમ, મજહબ અને જાતિના લોકો વચ્ચે રહી શકતા હતા, તે બધાને સાથે લઈને ચાલવાનો આગ્રહ રાખતા હતા જેથી જ ગાંધીજીને ચલણી નોટો પર રાખવામાં આવ્યા છે. ગાંધીજીથી પહેલા આપના દેશની નોટો પર અશોક ચક્રની છબી હતી અને તે ચક્રને હટાવીને ગાંધીજીને જગ્યા આપવામાં આવી હતી.

1996માં થયો નોટોમાં ફેરફાર
આજે આપને ભારતીય નોટો પર ગાંધીજીની છબી જોઈએ છીએ પરંતુ તેમની પહેલા ચલણ પર અશોક સ્તંભ અંકિત હતો. RBIએ 1996માં નોટો બદલવા માટે નિર્ણય લીધો હતો. આના અનુસંધાને અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપતી મહાત્મા ગાંધીનો ફોટો રાખવામાં આવ્યો અને અશોક સ્તંભનો ફોટો નોટના ડાબી બાજુ નીચેના ભાગમાં અંકિત કરવામાં આવી છે.

અત્યાર સુધી પાંચ રૂપિયાની નોટથી લઈને ૨ હજારની નોટ પર ગાંધીજીનો ફોટો જોવામાં આવે છે. આની પહેલા 1987માં જયારે પ્રથમ વખત ૫૦૦ની નોટ બહાર પાડવામાં આવી હતી ત્યારે પણ ગાંધીજીનો વોટરમાર્કને વાપરવામાં આવ્યો હતો. 1996 બાદ દરેક નોટોમાં ગાંધીજીની છબીને અંકિત કરવામાં આવી છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt