ઈદ વિષે માહિતી

🇨🇨🇨🇨🇨🇨🇨🇨ઈદ મુબારક🇨🇨🇨🇨🇨🇨🇨🇨
ઈદ-ઉલ-ફિત્ર ખુદાની બંદગીનો દિવસ ઇદ શબ્દ મૂળ ‘અવદ’ પરથી આવ્યો છે. ‘અવદ’નો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું. 

દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઇદ. ઇદનું મહત્ત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. 
ઇદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેઅમતો (મહેરબાનીઓ)નો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલ છે.

🇸🇦ઈદ-ઉલ-ફિત્ર \ઈદ-અલ-ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો "ઈદ" ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે "ઉપવાસ તોડવો થાય" ઈદ-ઉલ-ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટેભાગે સમુહમાં મોટા હોલમાં થાય છે. 
રમાજાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઇપ્વાસ રાખીને ખુદાની બંદગી કરે છે , કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. 
ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અધા એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે.

આજથી ૧૩૯૨ વર્ષ પહેલાં ઇસ્લામના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. 
હિજરી સન બીજી ઈ.સ. ૬૨૩ના રમજાનથી અલ્લાહે દરેક પુખ્તવય ધરાવતા મુસલમાન પર રોજા ફર્જ કર્યા અને રમજાનના રોજા પૂરા થવાને બે દિવસની વાર હતી ત્યારે પયગંબર સાહેબ(હજરત મહંમદ સ.અ.વ.)ને અલ્લાહે ઈદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્ર માટે આયત દ્વારા ફરમાવ્યું હતું.


બેશક એ વ્યક્તિ સફળ થઈ, જેણે બૂરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, અલ્લાહનંુ નામ લઈ નમાજ અદા કરી.
હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ દ્વારા આ આયતનંુ અર્થઘટન કરતાં જણાવ્યું હતું કે, 'એ વ્યક્તિ તેના જીવનમાં સફળ થઈ છે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઈદ-ઉલ-ફિત્રની નમાજ પઢી.લ્લ આમ, ઇસ્લામમાં ઈદ-ઉલ-ફિત્રનો પ્રારંભ થયો.
🌙🌙🌙ઈદનો ચાંદ દેખાય તે રાત્રિને 🌟લૈલતુલ(રાત્રિ) 🌟જાઈઝા કહેવાય છે, એટલે કે ઇનામ અને ઇકરામ મેળવવાની રાત. લૈલતુલ જાઈઝાની રાત્રે ઇબાદત કરવાનો બહુ મોટો સવાબ છે. જે કોઈ આ રાતે ઇબાદત કરવા માટે જાગશે, તેના માટે જન્નત વાજિબ થશે. 
દરેક મુસલમાન ભાઈ-બહેનને એ આજીજી છે કે આ રાતની બરકતનો ફાયદો લો. જિંદગી હશે તો બીજો રમજાન જોવા મળશે. કોને ખબર આવતા વર્ષે આપણે જીવતા ન પણ હોઈએ! આથી આ મુબારક રાતની બરકતથી અલ્લાહને રાજી કરી લો, બેશક તે મહેરબાન છે. તેની રહેમતમાં કોઈ કમી નથી.
 દુઆ માટે જ્યારે પણ હાથ અલ્લાહની બારગાહમાં ફેલાવો ત્યારે દરેક જીવના હકમાં દુઆ માગો. આપણે ગુનેગાર છીએ, આપણા તો દરેક દિવસો ગુનાથી પસાર થાય છે. આવી મુબારક રાતમાં ઇબાદત કરવાનું બધાને નસીબ થતું નથી. ચહેરા પર ગમ, અવાજમાં દર્દ, આંખમાં પાણી અને હૃદયમાં ગ્લાનિ સાથે ગુનાની મગફેરત માગવી.

👏આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ
ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમના ધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ.🙏🙏

👏 શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ આ ધર્મમાંથી કંઇક સારું શીખે અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણી બંદગી ખુદા જોડે પહોચી જશે. એને તો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.
તેવી દુઆની સાથે દરેક વાચકને યુવરાજસિંહ જાડેજા તરફથી ઈદ-ઉલ-ફિત્ર મુબારક.


ગુજરાતીઓ માં રમઝાન ઈદ તરીકે જાણીતી ઈદ , ઈદ -ઉલ -ફિતર કે રામદાન ઈદ તરીકે વિશ્વ માં જાણીતી છે. રમઝાન ના પવિત્ર માસ માં આવતો આ તહેવાર અલ્લહ ના સંદેશ ને પાલન કરવાનો સંદેશ આપે છે. રોઝા કરવાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ મન - કર્મ અને વચન થી કોઈ ને દુઃખ ન આપવાનો છે. આ તહેવાર વિશ્વ માં પ્રેમ, ભાઈચારો અને શાંતિ નો સંદેશ ફેલાવે છે.

રમઝાન ઈદ એક ઈસ્લામ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.જેની ઊજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.રમઝાનમાં મહિનામાં જે રોઝા રાખે છે અને ઈસ્લામ ધર્મનું યોગ્ય પાલન કરે છે,તેમના માટે ઈદનો તહેવાર ખૂબ મહત્ત્વનો છે.

🇨🇨🇨🇨ઈદનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને પ્રેમથી મળે છે. એક મહિનો રોજા રાખ્યા છે, તેનું અલ્લાહ દ્વારા ઈદના રૂપમાં ઇનામ અપાયું છે. આ દિવસે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય અને દેશમાં કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ અકબંધ રહે તે માટે પણ દુઆ કરે છે.
🇨🇨જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે
કુરાન ગ્રંથ બનાવ્યો. રમઝાન મહિનાના અંતિમ દિવસોને ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસો દરમિયાન પૈંગબરે ગ્રંથને પૂર્ણ કર્યો હતો. મોહમ્મદ પૈંગબરનો જન્મ સંત તરીકે થયો હતો, પરંતુ તેમના સમયમાં ઘણી જ હિંસા હતી. અને તેમની આસપાસના લોકો જે રીતે જીવી રહ્યાં હતા તેનાથી તેઓ નિરાશ અને શરમજનક લાગણી અનુભવતા હતા. પોતાની આસપાસની દુનિયાને જોઈને તેઓ એકાંતવાસ ગાળવા જંગલમાં જતા રહ્યાં હતા. જે દરમિયાન તેમણે માઉન્ટ હિજરામાં દિવસ અને રાતો વિતાવી અને એ દરમિયાન ઉપવાસ કર્યો અને પ્રભુને પ્રાર્થના કરી. આખરે પ્રભુ તેમના પર પ્રસન્ન થયા અને તેમને પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો. પ્રભુએ જ્ઞાનના સાચા પ્રકાશને વહેતો કરવા માટે તેમની પસંદગી કરી હતી. એટલા માટે લોકો રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે અને બુરાઈઓને પોતાના જીવનમાંથી દૂર કરે છે.
દરેક ધર્મમાં ઉપવાસ એ પ્રભુને મેળવવા માટેનો એક એવો પર્વ છે, જેમાં માનવી પોતાના તમામ સાંસારિક સુખોથી દૂર રહે છે. એક સામાન્ય વ્યક્તિ હંમેશા પોતાની જવાબદારીઓ સાથે બંધાયેલો હોય છે અને તેવા સમયમાં પ્રભુને પામવા માટેનો તેની પાસે યોગ્ય અને જોઇએ તેટલો સમય રહેતો નથી, ત્યારે તે ઉપવાસ કરીને એ વ્યક્તિ ભોજન પ્રત્યેના પોતાના આકર્ષણને ઘટાડીને સંપૂર્ણપણે
પ્રભુમાં તલ્લીન થઇ જાય છે. સવારના સમયે ભોજન લેવાનો અર્થ થાય છે કે તે વિશ્વની દૂર છે અને સંપૂર્ણપણે પ્રભુમાં લીન છે, જ્યારે રાત્રી સમયે ભોજન લેવાનો અર્થ છે, જે વિશ્વ દેખાઈ રહ્યું છે તેનાથી પોતાને દૂર કરીને પોતાની અંદરના
આધ્યાત્મિક વિશ્વમાં દાખલ થવું.


પવિત્ર રમઝાન માસ   દરમિયાન શુક્રવારે હરણી રોઝુ મનાવવામાં આવે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે હરણી રોઝાનું વિશેષ મહત્વ હોય મુસ્લીમ બિરાદરોની સાથે હિન્દુ બિરાદરો પણ પ્રતિવર્ષ પવિત્ર રમઝાન માસ દરમિયાન રાખી રહ્યા છે.
આ વખત 29 રોઝા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી  હતી... 27મું હરણી રોઝુ જુમ્માના દિવસે હોય મુસ્લીમ સમાજનો ઉત્સાહ બેવડાયો છે. રમઝાન માસમાં પાંચ મોટી રાત મનાવવામાં આવે છે.
🗣વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું છે કે દેશમાં 
રમઝાનના પવિત્ર માસની પણ ઉજવણી કરાઈ હતી અને મારી તરફથી બધાને ઈદની શુભેકામના. 🙏🙏🙏🙏🙏🙏

🇨🇨અમુક સમય પહેલાની વાત છે મુસ્લીમોના કોઈ મોભી(અબુ બકર)એ છોકરીઓને ગાવાની મનાઈ ફરમાવી હતી મહોમ્મદએ અબુ બકરને કહ્યું કે એમને ગાવાની પરવાનગી આપો.(થોડી માહિતી જે મને ખબર હતી એ આપની જોડે શેર કરી)
જુદા જુદા પ્રદેશોમાં ઈદની શુભકામનાઓ અલગઅલગ રીતે આપવામાં આવે છે જેનો ભાવાર્થ તો એક જ હોય છે કે આપની આ ઈદ શુભ દાયક રહે. સાથે સાથે આખા વર્ષ દરમ્યાન જે પણ મુસ્લિમ ભાઈઓ વચે કોઈ મનભેદ થયો હોય એને ભૂલીને અને માફ કરીને ખુશી વહેચવામાં આવે છે.
ઘણા લોકો આજના દિવસે "પ્રાણીઓની કતલ " અને બીજા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરીને આ પર્વનું મહત્વ નષ્ટ કરે છે. માનું છું કે એ ખોટું છ પણ ખોટું તો બીજું ઘણું છે જેની ઉપર આપણી નજર નથી જતી. ઘણાને તો એ પણ ખ્યાલ નહિ હોય કે મુસ્લિમ ભાઈઓગાયને માતા સમાન ગણીને એને પૂજે છે. અમુક લોકોને કારણે આખો સમાજ શું કામ બદનામ થાય? એના કરતા સારી વાતો ઉપર વધારે ધ્યાન આપીએ તો વધારે સારું. કારણકે માનવ માને છે કે આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમના ધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ.
સાચું કહું તો મને ઇસ્લામ વિષે બહુ ખાસ ખબર ન હતી પણ એમાં રહેલ સારાપણા અને સારી વાતોએ મને એ બાબતે વાંચવા આકર્ષ્યો. શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ એ ધર્મમાંથી કંઇક સારું શીખે અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણી બંદગી/પ્રાર્થના/પ્રેયરપેલા ભગ્ગું જોડે પહોચી જશે. એને તો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt