રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું એ જ સ્વરૂપ આજે પણ યથાવત છે. ગાંધીજીએ સૌથી પહેલા 1921માં કોંગ્રેસે પોતાના ઝંડાની વાત કહી હતી. આ ઝંડાને પિંગલી વૈકેયાએ ડિઝાઈન કર્યો હતો, તેમાં બે રંગ હતા. એક લાલ રંગ, જે હિન્દુઓ માટે અને બીજો લીલો રંગ, જે મુસ્લિમો માટે હતો. મધ્યમાં એક ચક્ર હતું. પાછળથી એક ધ્વજમાં અન્ય ધર્મ માટે મધ્યમાં સફેદ રંગ સામેલ કરાયો હતો. સ્વતંત્રતા મળી તેના કેટલાક દિવસ પહેલાં જ બંધારણ સભાએ રાષ્ટ્ર ધ્વજમાં થોડા સુધારા કર્યા હતા. તેમાં ચરખાના સ્થાને અશોક ચક્ર ચિત્રિત કરાયું.
આ નવા ધ્વજની દેશના બીજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફરીથી વ્યાખ્યા કરી હતી. 21×14 ફુટનો ઝંડો દેશમં ફક્ત ત્રણ કિલ્લા ઉપ લહેરાવાય છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત કિલ્લો એમાંનો એક છે. તે ઉપરાંત કર્ણાટકના નારગુંડ કિલ્લા અને મહારાષ્ટ્રના પનહાલા કિલ્લા પર પણ સૌથી લાંબા ધ્વજને લહેરાવાય છે.
ત્રિરંગા ધ્વજ માટે સંઘર્ષ કરનાર જ્ઞાનપ્રકાશ કામરાએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સમક્ષ કેન્દ્ર સરકારને દર વર્ષે 22 જુલાઈએ ત્રિરંગા દિવસની ઉજવણી કરવા માટે સૂચના આપવાની માંગણી કરી છે. કામરા જ એ વ્યક્તિ છે, જેમના પ્રયાસથી સુપ્રીમ કોર્ટે 1991માં એ આદેશ કર્યો હતો કે રાષ્ટ્રીય ધ્વજનો પ્રયોગ વિજ્ઞાપનોમાં નહી કરી શકાય.