પન્નાલાલ ઘોષ

🎷🎷🎷🎷🎷🎷🎷🎷
🎷🎷પન્નાલાલ ઘોષ🎷🎷
🎷🎷🎷🎷🎷🎷🎷🎷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯સિતાર, સરોદ, શરણાઈ, બાંસુરીવગેરે વાદ્યો આપણા દેશમાં ખૂબ જ પ્રચલિત છે. તેમાં 👁‍🗨👉બાંસુરી એ વિશ્વનું અતીપુરાનું તંતુવાદ્ય છે.
👉ભારતમાં આ વાદ્ય જુદા જુદા નામથી ઓળખાય છે. ગુજરાતમાં ગ્રામીણ લ્લોકો પાવા તરીકે ઓળખાય છે.
👉 સહેજ મોતી ગોળ અને લંબાઈવાળી બાંસુરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
👉શ્રીકૃષ્ણ બાંસુરીના નાદથી ગોપીઓને ઘેલી કરતા હતા. આવા સુંદર વાદ્યને ભારતમાં બે મહાન સંગીતકારોએ પોતાના કલા કૌશલ્ય થી જાણીતા👉 પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને બીજા પન્નાલાલ ઘોષ

⭕️👉તેમનો જન્મ પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લામાં થયો હતો.બચપણથી સંગીત પ્રત્યે પ્રેમ હતો. સ્વભાવે નિખાલસ અને નિરભિમાની હતા. તેમના પત્ની પારૂલ ઘોષ એક સારા ગાયિકા છે. અને અનેક ચિત્રોમાં તેમણે કંઠ આપેલો છે. તેમના નાના ભાઈ શ્રીએ નીખીલ ઘોષ એક અચ્છા તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે.
⭕️👉ઈ.સ. ૧૯૪૭માં ભારતના મહાન વાદક શ્રીએ અલ્લાઉદ્દીનખાં મૈહરવાલાને પોતાના ગુરૂપડે સ્થાપ્યા હતા. બોમ્બે ટોકીઝમાં ‘ બસંત’ અને ‘ આરાધના’નું સંગીત નિદર્શન પણ તેમણે સંભાળેલું.
♦️👉પંચવટી , દીપાવલી અને ચંદ્રમૌલી એ તેમણે મૌલીકપણે રચેલા સંગીતના શાસ્ત્રીય રાગો છે. બાસુરી સંગીત પરની એમની પ્રભુતા અનન્ય હતી. બંસ્રીવાદન કરતાં કરતાં સ્વર સમાધિમાં લીન થયેલા ઘોષબાબુનું વ્યક્તિત્વ પ્રતિભાયુક્ત હતું. પન્નાલાલ ઘોષનું ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના રોજ અવસાન થયું હતું.

((એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.))

👉બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે લગની, વળી વારસામાં જ સાંગીતિક વાતાવરણ મળ્યું.
‘ન્યૂ થિયેટર્સ ’ ની પ્રખ્યાત ચિત્રપટ સંસ્થામાં પાશ્વસંગીત માટેના વાદ્યવૃંદમાં જોડાઇ ગયા.
👉 જુદા જુદા કલાગુરુઓ પાસેથી સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. દરમિયાન તેઓ કલકત્તાના આકાશવાણી વિભાગમાં આર્ટિસ્ટ તરીકે જોડાયા.

🎯👉ગાંધીજી પણ પન્નાલાલના બંસીવાદનથી મુગ્ધ થયા હતા. પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર આપ્યું: ‘બંસી બહુત મધુર બજાઇ ’ સાચા સૂરવાળી વાંસળી બનાવવા માટે તેઓ સ્વયં કાળજી લેતા, શાસ્ત્રીય સંગીતના અંગોની રજૂઆત તેમણે વાંસળીમાં જ કરવા માંડી.
🎯👉ખયાલ, ઠુમરી, ખટક, મુરકી વગેરે રાગો ઉતારી વાંસળીમાં આ બધું વાગી શકે તે તેમણે સાબીત કર્યું. હાથની આંગળીઓ પર સોજા આવી જાય તો પણ પોતાની સાધના ચાલુ રાખતા. શાસ્ત્રીય સંગીતમાં પણ મહાન ઉસ્તાદોની નજરમાં બંસરીને આદરપાત્ર બનાવનાર પન્નાલાલ ઘોષ 20/4/1960 ના રોજ સંગીતની મહાજયોતમાં વિલીન થઇ ગયા.
🎯👉પન્નાલાલ ભલે દેહે મૃત્યુ પામ્યા છે પણ સૂર દેહે અમર થયા છે. તેઓ કહેતા ‘ પૂર્ણતા એટલે પ્રભુપ્રાપ્તિ, તેથી હું વાંસળીમાં પૂર્ણતા પામવા ઇચ્છું છું.
👉ઇશ્વરની જરા સરખી પણ જયોત જોવા મળી જાય તો જીવન સફળ બને અને એ જ મારું જીવનધ્યેય છે. ’

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt