બેંકોનું રાષ્ટ્રીયકરણ

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✅♻️બેંકોનું રાષ્ટ્રીયકરણ♻️✅
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨મિત્રો આવા પ્રશ્નો GPSC મુખ્ય પરીક્ષા મા પુછાયેલા પણ છે. અને હજુ પૂછાય પણ શકે છે..
👉આપ લોકોને પેલા સમજવું જોઈએ કે ➖બેંકનું રાષ્ટ્રીયકરણ અટલે શું ?
➖શા માટે કરવામાં આવેલા ?
➖તેના લાભાલાભ ?
➖બેંકના રાષ્ટ્રીયકરણની અસરો ?
➖બેન્ક એટલે શું ?  વગેરે....

👉👁‍🗨વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .

💡🔦1407માં ઈટાલીના જિનોઆ ખાતે બૅન્કો દી સાન જિઓરજિઓ (સેન્ટ જયોર્જની બૅન્ક) નામે સૌથી પહેલી રાજય થાપણની બૅન્ક સ્થાપવામાં આવી હતી.

✍મિત્રો ભારતની અર્થવ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવતું વર્ષ હતું ૧૯૬૯…વડા પ્રધાન હતા ઈન્દિરા ગાંધી…સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યન અને દેશના નબળા આર્થિક વિકાસને જોતા ઈન્દિરા ગાંધીએ લીધો એક મહત્ત્વનો નિર્ણય.
👇✅👉આ નિર્ણય હતો ૧૪ જેટલી કોર્પોરેશન બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો. કોઈ કશું સમજે તે પહેલા જ ઓચિંતા ઈન્દિરા ગાંધીએ લીધેલા આ નિર્ણયથી બેંકો સરકારના નિયંત્રણમાં આવી ગઈ. રાષ્ટ્રીયકરણથી બેંશકગ નેટવર્કનો ઝડપથી વિકાસ અને વિસ્તાર થયો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેંકોનું આગમન થયું.

☝️👉 આ પ્રયોગ સફળ થતા 🎯૧૯૮૦માં વધુ ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું.

😡😠😡૧૯૬૯માં ઈન્દિરા ગાંધીએ અન્ય એક મોટો નિર્ણય લીધો હતો રાજા મહારાજા અને નવાબોને મળતી વિશેષ સુવિધા અને સાલિયાણા બંધ કરી દેવાનો.

👁‍🗨🎯આઝાદી બાદથી લઈને ૧૯૬૯ સુધી સરકાર દ્વારા લેવાયેલા આર્થિક નિર્ણયોમાં આ બે નિર્ણયને સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.જો કે, ઈન્દિરા ગાંધીના આવા નિર્ણય પછી થોડા વર્ષો સુધી તો બધુ બરાબર ચાલ્યું..♻️પરંતુ આનો મતલબ એ નથી કે તે સમયે દેશનો વિકાસ થયો.

➖🎯👁‍🗨🗣 ઇન્દીરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ ત્યારે તેણે કહયુ હતું કે બેંકો ગરીબોની સેવા કરશે પરંતુ 1972 થી લઇ 2014 સુધી માત્ર સવા ત્રણ કરોડ ખાતા જ બેંકમાં ખુલ્યા હતા જયારે છેલ્લા ત્રણ વર્ષમાં આ આંકડો 28 કરોડ પહોચ્યો છે. ➖🎋👆

🎯⭕️👁‍🗨દેશના આર્થિક વિકાસનો આધાર બેકંિગ વિકાસ ઉપર છે સાથે સામાજિક કલ્યાણ અને સામાજિક ન્યાય સિદ્ધ કરવા માટે પણ બેંકોનું મહત્ત્વ છે.

👁‍🗨👁‍🗨અગાઉ બેંકો મોટા ઉદ્યોગોને ધિરાણ આપતી હતી તેથી ઔદ્યોગિક ઇજારાશાહી અને કેન્દ્રીકરણને વેગ મળેલ. ખેતી, નાના ઉદ્યોગો, ગૃહઉદ્યોગો, વ્યાપાર અને ધંધાકીય ક્ષેત્ર નાના માણસોને બેંક દ્વારા ધિરાણ મળતું ન હતું આથી👈👉 ૧૯૬૭માં તે સમયના નાણાંપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ દ્વારા બેંકો પર સામાજિક અંકુશો રજૂ કરીને બેંકોને સામાજિક વિકાસ અભિમુખ બનાવવાના પ્રયાસ થયો.

👆👉૧૯ જુલાઈ, ૧૯૬૭ના રોજ ૧૪ મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે તત્કાલીન નાણાંપ્રધાન અને વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીએ જણાવેલ ખેતી, ગૃહઉદ્યોગો અને નાના ઉદ્યોગો, લધુ ધંધાઓ જેવા અગ્રીમ ક્ષેત્રોને ધિરાણ મળે તે માટે અને આર્થિક વિકાસ સાથે સામાજિક ન્યાયના હેતુઓને સિદ્ધ કરવા માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ છે ♦️ત્યારબાદ બીજા તબક્કામાં વઘુ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને મોટા ભાગનું બેકંિગ ક્ષેત્ર સરકારના અંકુશ, માલિકી અને નિયંત્રણ હેઠળ લાવવામાં આવેલ.

🎯👉રાષ્ટ્રીયકરણ પછી ગ્રામીણ વિસ્તારોમાં બેંકોની શાખાઓ શરુ કરવામાં આવી. ખેતીના અને ગ્રામીણ વિકાસ માટે 🔰નાબાર્ડ🔰 કામ કરે છે.
🔘એ જ રીતે નાના ઉદ્યોગોને ધિરાણ આપવા માટે રાષ્ટ્રીય કક્ષાની બેંક ➖સીડબી- સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા-➖ કામ કરે છે.
♦️ગ્રામીણ બેંકો, લીડ બેંક યોજના વગેરે ધિરાણ કરે છે. આયાત નિકાસને ધિરાણ આપવા માટે ઈટૈસ મ્ચહં - નિકાસ આયાત બેંક કામ કરે છે.
➖♦️નાબાર્ડ દ્વારા ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને તાલીમ, સહાય અને ધિરાણની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્વસહાય જૂથોને પણ બેંકો ધિરાણ કરે છે.
⭕️♦️લધુ ક્ષેત્રોને વ્યાપારી બેંકો જામીનગીરી તારણ વિના પણ ધિરાણ કરે છે આ રીતે બેંકો દ્વારા દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમ અંતર્ગત ધિરાણ આપવામાં આવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖➖➖➖➖➖➖➖➖➖
♦️૧૯૯૧થી આર્થિક સુધારા અંતર્ગત નાણાંકીય અને મૂડીબજાર સુધારાના ભાડા તરીકે બેકીંગ સુધારાઓ કરવામાં આવ્યો છે. ખાનગી બેંકો અને વિદેશી બેંકોને કામ કરવાની છૂટ આપવામાં આવી છે. ♦️રાષ્ટ્રીયકૃત બેંકોને વધારે સ્વાયતતા અને સ્વતંત્રતા આપવામાં આવી છે. બેંકોનું જોડાણ કે એકત્રીકરણ કરીને બેંકંિગ ક્ષેત્રને વધારે સંગીન અને મજબૂત બનાવવામાં આવેલ છે.
♦️બેંકોને થાપણ પર અને ધિરાણ પરના વ્યાજદરો નક્કી કરવાના નિયમોના માળખામાં રહીને છૂટ આપવામાં આવે છે. આથી બેંકો વ્યાજદરોમાં તફાવત સર્જીને થાપણો મેળવવા અને ધિરાણ આપવા માટે સ્પર્ધા કરે છે. ગ્રાહકોને પણ વસ્તુઓ ખરીદવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવે છે. નબળી બેંક શાખાઓનું જોડાણ કરવામાં આવે છે. અથવા તો તેને વિકસીત બેંક શાખા સાથે ભેળવી દેવામાં આવી છે.
👆👉રાષ્ટ્રીયકરણ પછી અને આર્થિક સુધારાના સમયમાં બેંકોની કામગીરી તપાસીએ.👇
✋👉૧૯૬૯માં બેંકોની કુલ શાખાઓ ૮૨૬૨ હતી તેમાંથી ૧૦૩૩ શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં, ૩૩૪૨ શાખાઓ અર્ધશહેરી વિસ્તારમાં અને ૧૫૦૪ શાખાઓ મહાનગરીય વિસ્તારોમાં હતી.

👆👁‍🗨👉૨૦૧૧માં અનુૂસૂચિત વ્યાપારી બેન્કોની કુલ શાખાએ ૮૯૬૨૨ થઈ તેમાંથી ૩૩૪૬૫ શાખાની ગ્રામીણ વિસ્તારોમાં, ૨૨૬૩૧ શાખાઓ અર્ધશહેરી વિસ્તારોમાં ૧૭૭૧૨ શાખાઓ શહેરી વિસ્તારોમાં અને ૧૫૭૮૪ શાખાઓ મહાનગરોમાં આવેલી હતી.
મે, ૨૦૧૧માં બેંકો દ્વારા ૯,૫૦,૦૦૦ સામાન્ય ક્રેડિટ કાર્ડ અને ૨૨.૪૯ મિલિયન કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવેલ.
કેટલીક અગ્રણી બેંકોની કામગીરી સપ્ટેમ્બર, ૨૦૧૧ના સંદર્ભમાં તપાસીએ તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની થાપણો રૂા. ૯૩૩૯૩૩ કરોડ, ધિરાણ રૂા. ૭,૫૬,૭૧૯ કરોડ હતું. આ પ્રમાણ અનુક્રમે રૂા. ૩,૧૯,૮૯૯ કરોડ અને રૂા. ૨,૪૨,૧૦૭ કરોડ, બેંક ઓફ બરોડામાં રૂા. ૩,૦૮,૪૧૯ કરોડ અને રૂા ૨,૨૦,૬૭૬ કરોડ હતું.
કેટલીક ખાનગી ક્ષેત્રની બેંકોની થાપણો અને ધિરાણ તપાસીએ તો આઇ.સી.આઇ.સી.આઇ બેંકનું અનુક્રમે રૂા. ૨,૨૫,૬૦૨ કરોડ અને રૂા. ૨,૧૬,૩૦૬ કરોડ. એચ.ડી.એફ.સી. બેંક રૂા. ૨,૦૮,૫૯૬ કરોડ અને રૂા. ૧,૫૦,૯૮૩ કરોડ અને એક્સીઝ બેંકનું રૂા. ૧,૮૯,૨૩૮ કરોડ અને રૂા. ૧,૪૨,૩૦૮ કરોડ હતું.
કેટલીક વિદેશી બેંકોની થાપણો અને ધિરાણ અંગે જોઈએ તો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અનુક્રમે રૂા. ૫૮,૪૧૯ કરોડ અને રૂા. ૪૯,૨૦૧ કરોડ, સીટી બેંક રૂા. ૫૬૬૬૮ કરોડ અને રૂા. ૪૦,૫૯૭ કરોડ, લ્લજીમ્ભ રૂા. ૫૪૧૦૨ કરોડ અને રૂા. ૨૭૪૦૧ કરોડ હતી. આ બધી આંકડાકીય વિગતો પરથી જોઈ શકાશે કે દેશના બેકંિગ ક્ષેત્રમાં આજે પણ રાષ્ટ્રીયકૃત બેંકોનું અસાધારણ મહત્ત્વ અને વર્ચસ્વ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖
💰💷💶💴💵💸💰💳💷💶💴
💰💷💶💴💵બેંક💰💷💶💴💵
💰💷💶💶💴💸💴💵💰💰💷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💰બૅન્ક એ એક એવી નાણાકીય સંસ્થા છે જે થાપણો સ્વીકારે છે અને પછી તે થાપણોને ધિરાણની પ્રવૃત્તિઓમાં રોકે છે. આમ તો બૅન્ક પ્રાથમિકરૂપે ગ્રાહકોને નાણાકીય સેવા પૂરી પાડે છે છતાં સાથે સાથે તે રોકાણકર્તાઓને પણ સમૃદ્ધ કરે છે. સમયે સમયે અને સ્થળ અનુસાર બૅન્કની નાણાકીય ગતિવિધિઓ પરનાં સરકારના બંધનો બદલાતાં રહે છે. નાણાકીય બજારમાં બૅન્કો મહત્ત્વના ખેલાડી ગણાય છે અને તે ભંડોળનું રોકાણ અને વ્યાજે ઉધારે આપવા જેવી સેવાઓ આપે છે. જર્મની જેવા કેટલાક દેશોમાં, બૅન્કો ઐતિહાસિક રીતે ઔદ્યોગિક નિગમોમાં મોટો હિસ્સો ધરાવે છે, જયારે યુનાઈટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં બૅન્કો માટે બિન-નાણાકીય કંપનીઓ ખરીદવી પ્રતિબંધિત છે. જાપાનમાં, બૅન્કો સામાન્ય રીતે કૈરેત્સુ(keiretsu) તરીકે ઓળખાતું ક્રોસ-શેર હોલ્ડિંગ ધરાવનાર અભિબંધનરૂપ માળખું છે. ફ્રાંસમાં , મોટા ભાગની બૅન્કો તેમના ગ્રાહકોને વીમા સેવાઓ (અને હવે રીયલ એસ્ટેટ સેવાઓ) આપતી હોવાથી ત્યાં બૅન્કની બાંહેધરી
(bancassurance)નું પ્રચલન છે.
બૅન્કિંગ ઉદ્યોગ પરના સરકારનાં નિયમોનું સ્તર વ્યાપક રીતે બદલાતું જોવા મળે છે, જેમ કે

💰આઈસલૅન્ડ જેવા દેશોમાં બૅન્કિંગ ક્ષેત્ર પર અન્યોની સાપેક્ષે હળવા નિયમનો છે, જયારે ચીન જેવા દેશોમાં તેના પર બહોળા પ્રકારનાં નિયમનો જોવા મળે છે, અલબત્ત તેના પરથી સામ્યવાદી વ્યવસ્થાતંત્રમાં અનુસરાતી કોઈ વ્યવસ્થિત પ્રક્રિયાનું તારણ કાઢી શકાતું નથી.

💰1407માં ઈટાલીના જિનોઆ ખાતે બૅન્કો દી સાન જિઓરજિઓ (સેન્ટ જયોર્જની બૅન્ક) નામે સૌથી પહેલી રાજય થાપણની બૅન્ક સ્થાપવામાં આવી હતી.

💰💷ઈટાલિયન શબ્દ banco "ડેસ્ક/બેન્ચ" પરથી બૅન્ક શબ્દ ઉત્પત્તિ પામ્યો છે, રિનેસન્સ દરમ્યાન ડેસ્કની ઉપર એક લીલા ટેબલ-કલોથથી આવરીને પોતાની લેવડદેવડ કરવા માટે ટેવાયેલા યહૂદી
ફલોરેન્ટાઈન શરાફો તે શબ્દ વાપરતા હતા.
💰 જો કે, બૅન્કની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં સુદ્ધાં જણાઈ આવે છે.
ખરેખર તો, આ શબ્દનાં મૂળ છેક પ્રાચીન રોમન સામ્રાજય સુધી પહોંચે છે, જયાં નાણા ધીરનારા માસેલા (macella) નામે ઓળખાતા બંધ વાડાની વચ્ચોવચ bancu નામે ઓળખાતી એક લાંબી બૅન્ચ પર પોતાની નાનકડી, કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બાન્કો અને બૅન્ક શબ્દ વ્યુત્પાદિત થયો છે. bancu ખાતે નાણા વટાવવા આવેલો વેપારી પોતાના નાણાનું ઝાઝું રોકાણ કરતો નહીં, પણ માત્ર વિદેશી ચલણને રોમમાં કાનૂની ગણાતા ચલણમાં ફેરવીને એટલે સમ્રાટની ટંકશાળના સિક્કામાં મેળવવા માટે તેનો ઉપયોગ કરતો.
💰નાણા-બદલાવની પ્રવૃત્તિનો સૌથી જૂનો પુરાવો કાળા સમુદ્ર પર વસેલી પ્રાચીન હેલેનિક વસાહત ટ્રાપેઝુસના, આધુનિક ટ્રાબ્ઝોનના, 350–325 ઈ.સ. પૂર્વેના એક રૂપાના ડ્રેકમે સિક્કા પર ચિતરેલો જોવા મળે છે, જે લંડનના બ્રિટિશ સંગ્રાહાલયમાં મોજૂદ છે. સિક્કા પર શહેરના નામના શબ્દશ્ષ્લેષરૂપે સિક્કાઓથી લદાયેલું શરાફનું ટેબલ ટ્રાપેઝા દર્શાવવામાં આવ્યું છે. ખરેખર તો આજે પણ આધુનિક ગ્રીક શબ્દ ટ્રાપેઝા(Τράπεζα )-નો અર્થ ટેબલ અને બૅન્ક બંને થાય છે.

🛢બૅન્કની વ્યાખ્યા દેશેદેશે જુદી જુદી હોય છે.
ઈંગ્લિશ કોમન લો (અંગ્રેજી સામાન્ય ધારા) હેઠળ, બૅન્કનો વેપાર ચલાવતી વ્યકિતને શરાફ (બૅન્કર) કહેવામાં આવે છે, જેને નીચે મુજબ દર્શાવવામાં આવે છેઃ

પોતાના ગ્રાહકો માટે ચાલુ ખાતાઓ ચલાવે છે
તેની પાસેથી લખાયેલા ચેકના નાણા ચૂકવે છે, અને
તેના ગ્રાહકો માટેના ચેકના નાણા એકઠા કરે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt