ગ્રાહક સુરક્ષા ધારો

ગ્રાહક અદાલતો ક્યાં કયાં આવેલી છે?
જિલ્લા ફોરમ દરેક જિલ્લામાં આવેલી છે. ત્યાં રૃા.૨૦ લાખ સુધીનો દાવો થાય. સ્ટેટ કમિશન દરેક રાજ્યમાં હોય. આપણે ત્યાં અમદાવાદ-એસ.જી.રોડ ઉપર 'ગ્રાહકભવન'માં છે. તેમાં રૃા.૨૦ લાખથી ૧ કરોડ સુધીની દાદ માંગી શકાય. તેનાં ઉપરની દાદ માટે દિલ્હી નેશનલ કમિશનમાં જવું પડે.
ફરિયાદ ક્યાં થઈ શકે?
જે જિલ્લામાં ડોકટરની બેદરકારીથી સારવારમાં નુકસાન થયું હોય તે જિલ્લામાં જ થાય અને રૃા.૧ની હોય તો રાજ્ય કમિશનમાં થાય.
ફરિયાદ કેવી રીતે થાય?
સાદા કાગળ ઉપર સારવારમાં જે જે ખામી લાગી હોય તે અને તેનાંથી દર્દીને જે નુકસાન થયેલ હોય તે વિગતવાર લખી સાથે જે-તે કેઈસ પેપર જોડી મામૂલી ફી ભરીને થઈ શકે.
અલબત્ત વકીલ કે ગ્રાહક મંડળોની સલાહ લેવું હિતાવહ છે.
ફરિયાદ કેટલા વખતમાં થઈ શકે?
જે દિવસે સારવાર લીધેલી હોય અને તેનાથી ઈજા થઈ હોય તેનાં 'બે' વર્ષમાં કરવી પડે. અલબત્ત બાળકોનાં કિસ્સામાં બાળક પુખ્ત ઉંમરનું થાય ત્યારબાદ બે વર્ષ સુધીમાં તે પોતે બાળપણમાં કે જન્મ વખતે ઈજા થઈ હોય તો કરી શકે.
ફરિયાદ કોની કોની સામે થાય?
સારવારમાં સંકળાયેલ ડોકટરો, હોસ્પિટલ, નર્સ, લેબોરેટરી, એક્સ-રે હાઉસ, બ્લડબેંક, મેડિકલ સ્ટોર કે જેની બેદરકારીથી દર્દી હેરાન થયેલ હોય તે તમામ.
મજાની વાત તો એ છે કે ૧૯૯૫ સુધી તો ડોકટરો માનવા જે તૈયાર નહોતા કે તેમની સેવા ગ્રાહક-સુરક્ષા ધારા હેઠળ આવે. તેમની દલીલ એવી હતી કે તબીબી સેવા, એ અંગત સેવા છે અને તબીબી વિજ્ઞાાન અટપટું છે. તેથી તે ગ્રાહક અદાલતો નહીં સમજી શકે વગેરે વગેરે! પણ નામદાર સુપ્રીમ કોર્ટે I.M.A.V.P.Santha.iii (1995) CPJ I SC નાં કેઈસમાં એક ઝાટકે તમામ દલીલો ફગાવીને કરાવ્યું કે તબીબો સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ થઈ શકે?
ફરિયાદ કોણ કરી શકે?
દર્દી અથવા તેનાં વાલ વારસ અથવા નોંધાયેલા ગ્રાહક મંડળો.
'મફત' લીધેલી સારવારનું શું?
આમ તો અત્યારે કોઈ ડોકટર મફત સારવાર આપતા નથી! પણ કાયદાની ભાષામાં જે હોસ્પિટલ કે કિલનિકમાં "તમામ" દર્દીને મફત સારવાર અપાતી હોય તે જ બાકાત છે. હવે તો સરકારી હોસ્પિટલોમાં પણ પૈસા લેવાય જ છે. તેથી તેનો પણ સમાવેશ થાય.
ફરિયાદનો નિકાલ કેટલા વખતમાં આવે?
જી.એસ.ટી.માં જેને સમજણ પડતી હોય તેવાને આ સવાલ પૂછો! અલબત્ત આપણાં ગુજરાતમાં સ્થિતિ સારી છે. પ્રમાણમાં ઝડપી ન્યાય મળે છે.
આ તો બધી થઈ કાયદાની વાતો પણ ખરેખર તો આપણે ફરિયાદ શા માટે થાય છે તેનાં મૂળમાં જવું જોઈએ અને તેનાં કારણો આૃર્યજનક છે અને તે દુનિયામાં બધી જગ્યાએ સરખા છે. અલબત્ત ભારતમાં તે વ્યાપક છે તે વાત જુદી છે!
અત્યાર સુધી તબીબી વ્યવસાય, એક તરફ ડોકટરની સજ્જનતા અને ઉમદાપણું અને બીજી તરફ દર્દીની શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે સમતોલ હતો. પહેલાં ન હતી કાયદાની જરૂર કે ન હતી. વકીલો અને અદાલતોની જરૂર! દર્દી ડોકટરને દેવ માનતો અને ડોકટર પણ દેવદૂતની જેમ વર્તતો, પલટાતા સમય, ઊંચી ફી ભરીને થયેલા ડોકટરો, કોર્પોરેટ હોસ્પિટલો અને જાગૃત દર્દીના કારણે આ સમતોલન પલટાયું છે.
ખરેખર તો ડોકટરો-હોસ્પિટલે સમજવાની જરૂર છે. કે દર્દી જ્યારે સારવાર લેવા આવે છે નહીં કે તેમની સામે ફરિયાદ અને તે પણ બેદરકારીની! તો પછી સારવારમાં કે તે પછી એવું શું થાય છે? સાદી વાત છે સમજો તો સારું!
અ) ડોકટરની કે સ્ટાફની તુંડમીજીજી અને અમાનવીય વર્તણૂક! લગભગ ૪૦% કિસ્સામાં એક તરફ દર્દી દુખાવાની બૂમો પાડતો હોય તેની તબિયત બગડતી હોય અને તેનાં સગાંને કોઈ સાંભળે નહીં અને છેલ્લે દર્દીની હાલત ગંભીર બને ત્યારે આ 'તોછડાઈ' જેણે અનુભવી હોય તેને પૂછો.
(બ) દર્દીની કે સગાંની વાત ન સાંભળી, લગભગ ૩૦% કિસ્સામાં ઓપરેશન કરનાર કે મુખ્ય ડોકટરો ફરકતા જ નથી અને છેલ્લી ઘડીએ કેટલાય મનામણા પછી દર્શન કે ત્યારે થાય.
(ક) ન ધારેલું, ન સમજાયેલું અને અસંબંધિત કોમ્પિલીકેશન થાય! તાવ માટે દાખલ થયેલ બાળકને ગ્લુકોઝનાં બાટલાથી ગેન્ગ્રીન થાય અને હાથ કપાવવા પડે, સિઝેરીયનમાં આંતરડામાં કાણું પડે, સ્કૂલમાં થયેલ સામાન્ય ફેક્ચરમાં પાટો બાંધતા એનેસ્થેસીયામાં બાળક ગુજરી જાય આમાં તો ગમે તેવાં શાંત-સંયમી પણ વિફરે તેમાં નવાઈ નહીં.
(ડ) ડોકટરની ગેર રજૂઆત- એવી બડાશ મારે કે સારું થયું મારી પાસે આવ્યા, મને બધું જ આવડે, મારી હોસ્પિટલ ગામમાં શ્રેષ્ઠ અને ચાલતાં આવેલા દર્દીને કોમ્પિલીકેશન થાય. ત્યારે દર્દી અને દર્દીના સામાન્ય મગજમાં ડોકટરની મોટી-મોટી વાતો "રિવાઈન્ડ" થાય.
(ઈ) અન્ય ડોકટરની આલોચના- સારવાર બાદ જ્યારે દર્દી બીજા સ્પેશ્યાલિસ્ટને મળે ત્યારે તે કહે કે તે ડોકટરની સારવાર/ઓપરેશનમાં જ ભૂલ હતી, તે ભણતો હતો ત્યારથી જ તેને કંઈ આવડતું ન હોતું, તેના આવા કેટલાય પેશન્ટ મારી પાસે આવે છે! ભલે તે કોર્ટમાં આવીને કહેશે નહીં- ભાઈચારો!
(ફ) ઊંચે લોગ-ઊંચી પસંદ તેવી જ રીતે ઊંચી ફી-નીચી સારવાર! એકબાજુ કોમ્પિલીકેશન અને હાથમાં કમરતોડ બીલ-દર્દીનો કદાચ જીવી જાય તેનું કુટુંબ મરવાના વાંકે જીવતંુ થઈ જાય!
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt