ધ મેનહટન પ્રોજેકટ

🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡
🎯🎯🎯ધ મેનહટન પ્રોજેકટ🎯🎯
🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉      મેનહટન પ્રોજેકટ કહેવામાં આવતા પ્રોજેકટ અંતર્ગત, યુનાઈટેડ સ્ટેટ્સે, યુનાઈટેડ કિંગડમ અને કૅનેડાની ભાગીદારીમાં, તેમના અનુક્રમે ટ્યુબ ઍલોઈઝ અને ચાક રિવર લેબોરેટરીઝ નામના ગુપ્ત પ્રોજેકટો સાથે મળીને, પ્રથમ આણ્વિક બૉમ્બ ડિઝાઈન કર્યા અને બનાવ્યા. અમેરિકનભૌતિકવિજ્ઞાની જે. રોબર્ટ ઓપેનહેઈમર આ વૈજ્ઞાનિક સંશોધનને નિર્દેશિત કરી રહ્યા હતા અને આ સમગ્ર પ્રોજેકટયુ.એસ. આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના જનરલ લેસ્લી ગ્રુવ્સની સત્તા હેઠળ હતો. હિરોશિમા પર નંખાયેલો બૉમ્બ, "લિટલ બૉય" એક તોપમાંથી નાખી શકાય તેવા પ્રકારનો બૉમ્બ હતો, જેને યુરેનિયમના દુર્લભ રાસાયણિક મૂળતત્ત્વનેખેંચવાથી મળતાં યુરેનિયમ-235નો ઉપયોગ કરીને ઓક રિજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો.
👉16 જુલાઈ 1945ના, આલમોગોર્ડો, ન્યૂ મૅકિસકો નજીક, ટ્રિનિટી સાઈટ પર આ અણુબૉમ્બનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું.
🛡🛡પરીક્ષણ માટેનું શસ્ત્ર, "ધ ગેજેટ," અને નાગાસાકી પર નાખવામાં આવેલો, 💣"ફૅટ મૅન" 💣બૉમ્બ, એ બંને અંદરની તરફ સ્ફોટ થાય તે પ્રકારનાં શસ્ત્રો હતાં, જેમને મુખ્યત્વે હૅનફોર્ડ, વૉશિંગ્ટન ખાતે ન્યુકિલઅર રિએકટરમાંબનાવેલા એક કૃત્રિમ ઘટક, પ્લુટોનિયમ-239નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં.

🛡🛡પોટ્સડેમ આખરી ચેતવણી⭕️🚫
👉     જુલાઈ 26ના, ટ્રુમૅન અને અન્ય સંગઠિત આગેવાનોએ જાપાન માટે શરણાગતિની શરતોની રૂપરેખા આપતું પોટ્સડેમ ઘોષણાપત્ર બહાર પાડ્યું. તેને આખરી ચેતવણી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે જો જાપાન શરણાગતિ નહીં સ્વીકારે તો, મિત્ર રાષ્ટ્રો જાપાન પર હુમલો કરશે, અને તેનું પરિણામ "જાપાનનાં લશ્કરી દળોના અનિવાર્ય અને સંપૂર્ણ વિનાશમાં આવશે અને તેથી જાપાની ભૂમિ અનિવાર્યપણે સદંતર ઉજ્જડ બનશે". આ સરકારી પત્રમાં અણુબૉમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જુલાઈ 28ના, જાપાની સમાચારપત્રોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા. એ દિવસે બપોરે, વડાપ્રધાન કાન્તારો સુઝુકીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કર્યું કે પોટ્સડેમ ઘોષણાપત્ર, કારિઓ ઘોષણાપત્રની પુનરુકિત સિવાય કશું જ નથી અને સરકારે તેની ઉપેક્ષા કરવાનું ધારે છે (🎯મોકુસાત્સુ અર્થાત્ "ચુપકીદી સેવીને મારવું"). જાપાની અને વિદેશી બંને વર્તમાનપત્રોએ આ વિધાનને ઘોષણાપત્રના સ્પષ્ટ અસ્વીકાર તરીકે દર્શાવ્યું. બંધનવિહીન જાપાની શાંતિ સૂચનાઓ અંગે સોવિયેતના પ્રત્યુત્તરની રાહ જોતા સમ્રાટ હિરોહિતોએ, સરકારનો આ નિર્ણય બદલવા માટે કોઈ પગલું ન ઉઠાવ્યું જુલાઈ 31ના, તેમણે પોતાના સલાહકાર કોઈચી કિડોને સ્પષ્ટ કર્યું કે જાપાન સામ્રાજયનાં રાજચિહ્નોનું કોઈ પણ ભોગે રક્ષણ થવું જોઈએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉  જુલાઈના પ્રારંભમાં, પોતાની પોટ્સડેમની સફરના રસ્તામાં, ટ્રુમૅને બૉમ્બ વાપરવાના નિર્ણયનું ફેર-પરીક્ષણ કર્યું. અંતે, ટ્રુમૅને જાપાન પર અણુબૉમ્બ નાખવાનો નિર્ણય લીધો. તેમના કહ્યા અનુસાર બૉમ્બમારાના આદેશ પાછળ, વિનાશ વેરીને અને વધુ વિનાશનો પૂરતો બળવાન ભય પેદા કરીને, જાપાને શરણાગતિ સ્વીકારવી જ પડે એવી સ્થિતિ સર્જવાનો, અને એમ કરીને યુદ્ધનો ઝડપી ઉકેલ લાવવાનો હેતુ હતો.

🎯🎯નિશાન(લક્ષ્યો)ની પસંદગી
👉   મે 10–11, 1945ના, લોસ અલામોસ ખાતે જે. રોબર્ટ ઓપેન હેઈમરની આગેવાનીમાં ટાર્ગેટ કમિટીએ કયોટો, હિરોશિમા, યોકોહામા, અને કોકુરા ખાતેના શસ્ત્રાગારની સંભવિત લક્ષ્યો તરીકે ભલામણ કરી. લક્ષ્યની પસંદગી નીચેના માપદંડો પર આધારિત હતીઃ
  🎯👉    નિશાન વ્યાસમાં ત્રણ માઈલ કરતાં વધુ મોટું હોવું જોઈએ અને વિશાળ શહેરી વિસ્તારનો અગત્યનો હિસ્સો હોવું જોઈએ.વિસ્ફોટથી અસરકારક નુકસાન પહોંચવું જોઈએ.નિશાનનું સ્થળ, ઑગસ્ટ 1945 સુધી હુમલાની નહિવત્ સંભાવના ધરાવતું સ્થળ હોવું જોઈએ. "કોઈ પણ નાનું અને ચોક્કસ લશ્કરી લક્ષ્ય, ઘણા વિશાળ વિસ્તારમાં વિસ્ફોટથી નુકસાન પહોંચાડવાનું હોવું જોઈએ જેથી બૉમ્બ ખોટા સ્થાને નંખાવાથી એ શસ્ત્ર નષ્ટ થવાનું અનુચિત જોખમ ટાળી શકાય."
👁‍🗨🔰👉      બૉમ્બમારાના રાતના છાપાઓમાંથી આ શહેરોને મોટા ભાગે બાકાત રાખવામાં આવ્યાં હતાં અને શસ્ત્રનું ચોક્કસ મૂલ્યાંકન મેળવી શકાય તે માટે તેમને પોતાની લક્ષ્ય યાદીમાંથી પડતા મૂકવા માટે આર્મી ઍર ફોર્સ સહમત થયું હતું. હિરોશિમાનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું હતું- "એક મહત્ત્વનું લશ્કરી થાણું અને શહેરી ઔદ્યોગિક વિસ્તારની વચ્ચોવચ આવેલું વહાણો માટેના અગત્યનું બંદર. એ એક સારું રડાર લક્ષ્ય છે અને એ એવડા કદનું છે કે જેથી શહેરના મોટા ભાગને વ્યાપક નુકસાન પહોંચાડી શકાય. તેને અડીને ટેકરીઓ છે જે સંભવતઃ વધુ કેન્દ્રિત અસર નીપજાવશે, જેથી વિસ્ફોટથી પહોંચનારું નુકસાન ઘણા પ્રમાણમાં વધશે. નદીઓના કારણે તે સારી આગ ભડકાવે તેવું લક્ષ્ય નથી." શસ્ત્રનો હેતુ જાપાનને પોટ્સડેમ ઘોષણાપત્રની શરતો માટે બિનશરતી શરણાગતિ સ્વીકારવા માટે સહમત કરવાનો હતો. લક્ષ્ય સમિતિએ કહ્યું હતું કે "લક્ષ્યની પસંદગીમાં માનસિક પરિબળો બહુ અગત્યના હતા એ સ્વીકારવામાં આવ્યું હતું. 👇👇
તેના બે પાસાં છે (૧) જાપાનને માનસિક રીતે પૂરેપૂરું ભાંગી નાખવું અને (૨) જયારે તેના વિશે જાહેર કરવામાં આવે ત્યારે શસ્ત્રના પ્રારંભિક ઉપયોગથી પૂરતો ખળભળાટ ઊભો થાય અને શસ્ત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. કયોટો લશ્કરી ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર હોવા બદલ, તેમ જ એક બૌદ્ધિક કેન્દ્ર હોવાથી શસ્ત્રના આશયને વધુ સારી રીતે પારખી શકે, એ રીતે જોતાં કયોટો પણ સારું લક્ષ્ય હતું. ટોકયોમાં સમ્રાટનો મહેલબીજા કોઈ પણ લક્ષ્ય કરતાં વધુ પ્રસિદ્ધિ આપી શકે તેમ હતો, પણ વ્યૂહાત્મક રીતે તેનું મૂલ્ય સૌથી ઓછું હતું.

💠👉બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, યુ.એસ. સૈન્યની ગુપ્તચર સેવામાંજાપાનના નિષ્ણાત તરીકે એડવિન ઓ. રિઈસચર હતા, અને એ ભૂમિકાએ તેમણે કયોટો પર બૉમ્બમારો કરવાને ખોટી રીતે અટકાવવાનું સૂચવ્યું હતું.પોતાની આત્મકથામાં, રિઈસચરે આ દાવાની સત્યતાને ચોક્કસરૂપે રદિયો આપ્યો હતોઃ
👉"...કયોટોને વિનાશમાંથી તારવાનો જશ માત્ર એક જ વ્યકિત લઈ શકે, તે છે હેન્રી એલ. સ્ટિમસન, તેઓ એ વખતે યુદ્ધસચિવ હતા, અને તેઓએ કેટલાક દાયકાઓ પહેલાં જયારે કયોટોમાં પોતાનો હનીમૂન માણ્યો હતો ત્યારથી કયોટોની પ્રશંસા કરનાર તરીકે તેઓ જાણીતા હતા."

🎯♻️🎯હીરોશીમા અને નાગાસાકી પર અણુ હુમલો👇👇
👉    1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા દરમ્યાન,યુનાઈટેડ સ્ટેટ્સે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બે અણુબૉમ્બ ઝીંકયા હતા. જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગન-ગોળાઓના વરસાદ પછી પણ, જાપાન સરકાર પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આપવામાં આવેલા આખરી કહેણનેઅવગણી રહી હતી. રાષ્ટ્રપ્રમુખ હૅરી એસ. ટ્રુમૅનના વહીવટી આદેશથી, ઑગસ્ટ 6, 1945ના, સોમવારના યુનાઈટેડ સ્ટેટ્સેહિરોશિમા શહેર પર "લિટલ બૉય" નામનું અણુશસ્ત્ર ઝીંકયું, અને તેના પછી ઑગસ્ટ 9ના નાગાસાકી પર "ફૅટ મૅન" નામના અણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. યુદ્ધમાં અણુશસ્ત્રો સક્રિયપણે વપરાયાનું એક માત્ર ઉદાહરણ આ બે ઘટનાઓ જ છે. જાપાનનું દ્વિતીય લશ્કરી વડુમથક તેમ જ પ્રત્યાયનનું કેન્દ્ર અને સંગ્રહમથક ધરાવતા હિરોશિમા શહેરને તેના સારા એવા લશ્કરી મહત્ત્વને જોઈને પસંદ કરવામાં આવ્યું હતું. અણુબૉમ્બ ફેંકાયાના પ્રથમ બેથી ચાર મહિનાઓ દરમ્યાન, તેની સીધી અસરથી હિરોશિમામાં 90,000–166,000 લોકો અને નાગાસાકીમાં 60,000–80,000 લોકો મૃત્યુ પામ્યા, જે અણુબૉમ્બ વિસ્ફોટના પ્રથમ દિવસે દરેક શહેરમાં થયેલાં મૃત્યુ કરતાં ભાગ્યે અડધાં જેટલાં હતાં. હિરોશિમાના આરોગ્યના મુદ્દતી વિભાગના અનુમાન અનુસાર, વિસ્ફોટ થયો તે દિવસે માર્યા ગયેલા લોકોમાંથી, 60% લોકો આગના ભડકા અથવા જયોતથી દાઝવાથી, 30% લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી અને 10% લોકો અન્ય કારણોથી મર્યા હતા. એ પછીના મહિનાઓમાં, દાઝવાની અસરથી, કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગીથી અને અન્ય ઈજાઓ સાથે બીમારી સંકળાવાના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. વધુ વાજબી અનુમાન મુજબ તત્કાળ અને ટૂંકા ગાળામાં નીપજેલાં કુલ મૃત્યુમાંથી, 15–20% કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગીના કારણે, 20–30% આગના ભડાકાઓનો ભોગ બનાવાને કારણે અને 50–60% અન્ય ઈજાઓ સાથે માંદગીના લપેટામાં આવ્યા હોવાને કારણે મૃત્યુ પામ્યા હતા. બંને શહેરોમાં, મૃતકોમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠♻️નાગાસાકી પર થયેલા વિસ્ફોટના છ દિવસ પછી, ઑગસ્ટ 15ના, જાપાને મિત્ર રાષ્ટ્રો સામે નમતું જોખીને પોતાની શરણાગત થવાની જાહેરાત કરી, અને સપ્ટેમ્બર 2નાશરણાગતિના સ્વીકૃતિપત્ર પર હસ્તાક્ષર કરીને, પૅસિફિક યુદ્ધઅને તેથી કરીને બીજા વિશ્વયુદ્ધ પર અધિકૃત રીતે પૂર્ણવિરામ મૂકયું. મે 7ના જર્મનીએ તેના શરણાગતિના સ્વીકૃતિપત્ર પર હસ્તાક્ષર કર્યા અને એ રીતે યુરોપમાં યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાયું. કંઈક અંશે વિસ્ફોટોના કારણે, યુદ્ધ-પછી જાપાનેઅણુશસ્ત્ર-સરંજામને પ્રતિબંધિત કરતાં ત્રણ બિન-આણ્વિક સિદ્ધાન્તો અપનાવ્યા. જાપાનની શરણાગતિ પાછળ અણુબૉમ્બમારાની ભૂમિકા અને તે માટે યુ.એસ.નું નૈતિકસ્પષ્ટીકરણ, તેમ જ તેમનું વ્યૂહાત્મક મહત્ત્વ જેવી બાબતો હજી પણ વિવાદિત છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt