ઈતિહાસમાં 27 જુલાઈનો દિવસ


♦️♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
ઈતિહાસમાં 27 જુલાઈનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💊ડાયાબિટીસ માટે ઇન્સ્યૂલિનની શોધ

યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગ અને ટીમે 1912ની 27 જુલાઈએ પ્રસ્થાપિત કર્યું હતું કે હોર્મોન ઇન્સ્યૂલિન લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે છે . આ શોધ બદલ તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું .

🙏💐ડો . અબ્દુલ કલામનું નિધન💐🙏

11મા રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો . એ . પી . જે . અબ્દુલ કલામનું 2015ની 27 જુલાઈએ 83 વર્ષની ઉંમરે મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું . ભારતના મિસાઇલ અને અણુ કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી .

⛴🛳ટાઇટેનિકનો કાટમાળ શોધવા કવાયત⛴🛳

વર્ષ 1912માં તેની પહેલી મુસાફરી દરમિયાન જ દરિયામાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને શોધવા માટે આ જહાજ બનાવનારી કંપનીએ વર્ષ 1987ની 27 જુલાઈએ કવાયત શરૂ કરી હતી .

♦️♦️ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ♦️♦️

દીકરીને ગર્ભમાં જ મારી નાખવાના લાખો બનાવો બન્યા બાદ વર્ષ ૧૯૯૪માં આજના દિવસે ભારતીય સંસદે ગર્ભમાં રહેલા બાળકનું જાતિ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો .

🔘💠🔘અમજદ ખાન🔘💠🔘

બોલીવુડના ગબ્બર અને અદ્ભૂત અભિનેતા અમજદ ખાને ૧૯૯૨માં આજના દિવસે ૫૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા . તેમણે એટલી બધી ફિલ્મોનું શુટિંગ કર્યું હતું કે ૧૯૯૬ સુધી તેમની ફિલ્મો રિલિઝ થઈ હતી .

👁‍🎯૧૮૬૬ - એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.

🎯1887 સામાજિક કાર્યકર સરદાર દાવર તેહમૂરસનો જન્મ થયો.
🎯1889 દાદાભાઈ નવરોજીનાં નેતૃત્વ હેઠળ બ્રિટિશ ઇન્ડિયા કમિટીની સ્થાપના થઈ.
🎯1910 પ્રખ્યાત સિંગર બન્દે અલી ખાનનું અવસાન થયુ.
🎯1914 સ્વતંત્રસેનાની કલ્પના દત્તાનો ચટગાવમાં જન્મ થયો.
🎯1927 પ્રખ્યાત વાર્તાકાર અને નવલકથાકાર ક્રિષ્ના બળદેવ વૈદનો જન્મ થયો.
🎯1928 લેખક, વકીલ અને પત્રકાર રામેશ્વર સહાય શકશેનાનો લલિતપુર, ઉત્તર પ્રદેશમાં જન્મ થયો
🎯1972 ચારુમંજુમદારનું પેરીસમાં અવસાન થયું.

🎯1992 પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અમજદ ખાન નું અવસાન થયુ.
🎯1994 જસપાલ રાણા એ વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી.

🎯1998 17 હિન્દુઓએ જમ્મુ-કાશ્મીરનાં દોદ ગામે હથિયાર હેઠા મુક્યા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt