ઈતિહાસમાં ૩ જુલાઈનો દિવસ


♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
🎯🎯ઈતિહાસમાં ૩ જુલાઈનો દિવસ🎯
⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👱‍♀👵👱‍♀👵હંસા મહેતા👵👱‍♀👵👱‍♀

શિક્ષણશાસ્ત્રી , લેખિકા અને મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવનારા પ્રારંભિક ગુજરાતી મહિલા અગ્રણી અને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હંસાબેનનો જન્મ વર્ષ ૧૮૯૭માં આજના દિવસે થયો હતો .
👱‍♀શિક્ષણવિદ્દ અને યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હંશાબેન મેહતા.


🏍🏍🏍વિશ્વની પહેલી કાર🚜🚜🚜

ઇન્ટરનલ કમ્બશન એન્જિન ધરાવતી વિશ્વની પહેલી કાર તેના જનક કાર્લ બેન્ઝે વર્ષ 1886ની ત્રીજી જુલાઈએ જર્મનીમાં રજૂ કરી હતી . બેન્ઝની પત્ની બર્થાએ આ પ્રોજેક્ટને ફાઇનાન્સ કર્યો હતો .

🏏🏏ક્રિકેટ બોલથી ચકલી મરી ગઈ🏏

 ક્રિકેટર ઇમરાન ખાનના કાકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર જહાંગીર ખાને વર્ષ 1936ની ત્રીજી જુલાઈએ લોર્ડ્ઝમાં બોલિંગ દરમિયાન એક ચકલી મારી નાખી હતી , જે હજુ MCC મ્યુઝિયમમાં છે .

🚀🛩🛩સૌથી મોટો રોકેટ બ્લાસ્ટ🚀🛩

 વર્ષ 1969ની ત્રીજી જુલાઈએ રશિયાનું N - 1 રોકેટ તેના લોન્ચપેડ પર ફાટ્યું હતું . એક કિલોટનના અણુ બોમ્બ જેટલી તાકાતથી થયેલો આ બ્લાસ્ટ માનવભૂલથી થયેલા મોટા બ્લાસ્ટમાં ગણાય છે .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
👱‍♀👵👱‍♀👵👱‍♀👵👱‍♀👵👱‍♀👵
👵👵👵હંસાબહેન મહેતા👱‍♀👱‍♀
👵👱‍♀👵👱‍♀👵👱‍♀👵👱‍♀👵👱‍♀

👵મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર, લેખિકા હંસાબેન જીવરાજ મહેતાનો તા. ૩/૭/૧૮૯૭ના રોજ સુરતમાં થયો હતો. 👵પિતાનું નામ મનુભાઈ અને માતાનું નામ હર્ષદકુમારી હતું.
👵તેમના પિતા વડોદરા રાજ્યના દિવાન હતા. નંદશંકર તેમના દાદા હતા.
👱‍♀ઈ.સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થઇ સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસર્થે લંડન ગયા.
👱‍♀વડોદરા રાજ્યમાં ચીફ મેડીકલ તરીકે સેવાઓ આપતા👫 ડૉ. જીવરાજ મહેતા સાથે ઈ.સ. ૧૯૨૪માં લગ્ન કર્યા.
🙍 તેમણે ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા. આ તેજસ્વી મહિલાની કીર્તિ ચારેકોર ફેલાઈ ગઈ.
🙎 ઈ.સ. ૧૯૩૪માં તેઓ મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યાં.
🙎🙋ઈ.સ. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાયા અને શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી.
🙋🙎ઈ.સ.૧૯૪૬માં તેઓ વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા ઉપ કુલપતિ બન્યાં.
🙋🙍ઈ.સ. ૧૯૪૭માં તેમની ‘યુનો’ ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઇ. એમને ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી દેશને આઝાદી મળી તે પછી 🙅🙍ઈ.સ.૧૯૪૯માંતેમણે ભારતનું પ્રતિનિધિ તરીકે ‘ યુનો’ના માનવ હક્ક કમિશનમાં સભ્ય તરીકે લેક સસેક્સમાં ભરાયેલી માનવ અધિકાર સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. અને માનવ હક્ક માટેના કાનૂન અંગેના મુસદો, સમાજસેવા, સામાજિક નીતિ, વિકાસ, સરંક્ષણ વગેરે પ્રશ્નો એન્ગે સારી કામગીરી કરી હતી.
🙍🙎ભારતનો સાંસ્કૃતિક ઘડવામાં, ભારતીય સંસ્કૃતિનું પ્રસારણ કરવામાં, શિક્ષણક્ષેત્રે આપેલી અનન્ય સેવાઓને લક્ષ્યમાં રાખી
🙍🙎ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે તેમને’ પદ્મભૂષણ’ઈલકાબ આપી સન્માનિત કર્યા હતા.
🙍🙎ઈ.સ. ૧૯૫૮માંઅલ્હાબાદ યુનિવર્સિટીએ તેમનેડી.લિટ. ની પદવી એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. જર્મનીના મ્યુનિક શહેરમાં સમાજસેવા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી અને પેરિસમાં
🙍🙎ઈ.સ. ૧૯૫૮માં મળેલી વર્લ્ડ ફેમિલી કોંગ્રેસમાં તેઓ ગયેલા હિન્દી પ્રતિનિધિ મંડળના નેતા બન્યાં.
🙍 ઈ.સ. ૧૯૫૬માં દિલ્હી ખાતે મળેલ યુનેસ્કો કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી.
📝તેમને લેખનશક્તિ વારસામાં મળી હતી. તેમણે નાનામોટા ૧૬ ગુજરાતી અને ચાર અંગેજી મળીને કુલ ૨૦ પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકોનું ગુજરાતી અનુવાદ તથા રામાયણના કેટલાક કાંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે બાળવાર્તાઓ પણ આપી છે. આમ વહીવટ, સાહિત્ય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર હંસાબેન મહેતાનું ચોથી એપ્રિલ ૧૯૯૫ના રોજ અવસાન થયું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt