ઈતિહાસમાં ૧૭ ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
ઈતિહાસમાં ૧૭ ઓગસ્ટનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎖ફેલ્પ્સના એક સાથે આઠ ગોલ્ડ🏅

અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2008માં ચીનના બેઇજિંગમાં યોજાયેલા ઓલિમ્પિકમાં 17 ઓગસ્ટે એક સાથે આઠ ગોલ્ડ મેડલ જીત્યા હતા . અગાઉ સાત ગોલ્ડ જીતવાનો રેકોર્ડ અમેરિકન સ્વિમર માર્કના નામે હતો .

💿💽CDનું કમર્શિયલ પ્રોડક્શન📀💿

કોમ્પેક્ટ ડિસ્ક CDનું કમર્શિયલ પ્રોડક્શન વર્ષ 1982ની 17 ઓગસ્ટે શરૂ થયું હતું . ઓપ્ટિકલ ટ્રાન્સપરન્ટ ફોઇલ પર ડિજિટલ ડેટા રેકોર્ડ કરવાની પદ્ધતિ અમેરિકન સંશોધક જેમ્સ ટી. રસેલે શોધી હતી .

🗣〰🗣રેડક્લિફ લાઇન🗣〰🗣〰

ભારત પાકિસ્તાન વચ્ચે સરહદના વિવાદનો પલીતો ચાંપવાનું કામ કરનારી રેડક્લિફ લાઇનની જાહેરાત વર્ષ ૧૯૪૭માં આજના દિવસે થઈ હતી . અંગ્રેજોએ ભાગલા પાડવાનું કામ વકીલ સિરિલ રેડક્લિફ સોંપ્યું હતું .
👉રેડક્લિફ રેખા , ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થપાયેલી સરહદી વહેંચણી જાહેર કરાઇ.

🙏🎯1848 : રાજકીય આગેવાન રમેશ ચંદ્ર દત્તનો જન્મ થયો.

🔰🎯1909 - ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની હત્યા કરવાનાં ગુનામાં ગિરફ્તાર કરવામાં આવ્યાં.

🇮🇳🔰1947 :- ભારત આઝાદ થતાં બ્રિટિશરોની પ્રથમ ટૂંકળી ભારત છોડી બ્રિટનજવા નીકળી.

💐1958 : મોહે-જો-દરો અને તક્ષશિલાનું ઉત્ખનન જેનાં માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌀💠🌀💠🌀💠🌀💠🌀💠🌀
        💠👁‍🗨💠પતેતી💠👁‍🗨💠
💠પારસીઓનું નવું વર્ષ એટલે પતેતી. પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ગણાય છે.
🎯પતેતી એટલે પશ્ચાતાપ કરવાનો દિવસ. વર્ષ દરમ્યાન કરેલી ભૂલોને પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવરોઝ કહેવાય છે.
👆👉આ દિવસે પારસીઓ અગિયારીમાં જઈને પૂજા કરે છે અને એકબીજાને પતેતી મુબારક પાઠવે છે. નવા વર્ષને વધાવવા માટે લોકો નવા કપડા પહેરે છે. વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ખાય છે. ઘરને સજાવે છે. અને એકબીજાને મળીને આણંદ વહેચે છે. પારસી પરંપરા અનુસાર આ દિવસે લોકો મેજ પર પવિત્ર વસ્તુઓ રાખે છે. તેમાં જરથુષ્ટ્રની તસ્વીર, મીણબત્તી, અગરબત્તી, ફળ, ફૂલ, ખાંડ, સિક્કા વગેરેનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં લોકોનું આયુષ્ય અને સમૃદ્ધિ વધે છે. નવરોઝના દિવસે પારસી પરિવાર પોતાના ઉપાસના સ્થળે જાય છે. આ દિવસે ઉપાસના સ્થળોએ પૂજારી ધન્યવાદ આપનારી એટલે કે આભાર વ્યક્ત કરતી પ્રાર્થના કરે છે. જેને જશ્ન કહેવામાં આવે છે. 👉આ દિવસે પવિત્ર અગ્નિને લોકો ચંદનના લાકડાઓ ચઢાવે છે. પ્રાર્થના થઇ ગયા પછી પારસી લોકો એકબીજાને નવા વર્ષના સાલ મુબારક પાઠવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt