Digital India ના પ્રથમ સ્વપ્નદ્રષ્ટા હતા રાજીવ ગાંધી

Yuvirajsinh Jadeja:
🇮🇳👏🐾🇮🇳👏🐾🇮🇳👏🐾🇮🇳👏
Digital India ના પ્રથમ સ્વપ્નદ્રષ્ટા હતા રાજીવ ગાંધી
📲📱💻📲📱💻📲📱💻📲📱💻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

👁‍🗨🔰દેશના પ્રસિદ્ધ ટેકનોક્રેટ સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં ડીઝીટલ ઇન્ડિયાના પ્રથમ સ્વપ્નદ્રષ્ટા અને સ્થાપક સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા.
♻️💠તેમણે વર્ષ ૧૯૮૪માં નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરની સ્થાપના દ્વારા Digital India નો પાયો નાંખ્યો હતો.

💠♻️🎯રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા.
💠♻️તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા.
👉 તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા.
👉સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના નાના પંડિત જવાહરલાલ નહેરુએ પ્રધાનમંત્રી પદની 17 વર્ષની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તેઓ 58 વર્ષના હતા.
✌️🔰👉દેશમાં પેઢીગત પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી પ્રાપ્ત થઇ હતી.

😠હત્યાના ભોગ બનેલા તેમના માતા ઇન્દિરા ગાંધીના રાષ્ટ્રીય શોકની અવધી પૂરી થતાં જ સંસદના સીધા ચૂંટાયેલા સભ્યોથી રચાતા લોકસભા ગૃહ માટે સામાન્ય ચૂંટણીના આદેશ આપ્યા હતા. તે ચૂંટણીમાં કોંગ્રેસને ભૂતકાળની ચૂંટણીઓની તુલનામાં ઉંચા પ્રમાણમાં મત મળતાં લોકસભાની કુલ 508 પૈકી 401 બેઠકો પર કબજો કર્યો હતો.

✋👉70 કરોડ ભારતીયોના નેતા તરીકે તેમણે કરેલી પ્રભાવશાળી શરૂઆતને કોઇ પણ સંજોગોમાં નોંધપાત્ર જ કહી શકાય.

👏રાજીવ ગાંધીની ખાસ વિશેષતા એ રહી છે કે તેઓ ચાર સદી સુધી ભારતની સેવા કરનારા એક રાજકારણી પરિવારમાંથી આવતા હોવા છતાં રાજકારણમાં પ્રવેશ કરવા નહોતા માગતા અને પ્રવેશ પણ મોડો જ કર્યો હતો. તેમના પરિવારનું સ્વાતંત્ર્ય સંગ્રામ અને તે પછી પણ દેશને મોટું પ્રદાન રહ્યું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳👏🐾🇮🇳👏🐾🇮🇳👏🐾🇮🇳👏
Digital India ના પ્રથમ સ્વપ્નદ્રષ્ટા હતા રાજીવ ગાંધી
📲📱💻📲📱💻📲📱💻📲📱💻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)

👉રાજીવ ગાંધીનો 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો. ભારત આઝાદ થયું અને તેમના નાના દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ ત્રણ જ વર્ષના હતા. તેમના માતા પિતાએ લખનઉ છોડીને નવી દિલ્હીમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું.
👉તેમના પિતા ફિરોઝ ગાંધીએ સાંસદ બનીને એક નીડર અને પરિશ્રમી સાંસદ તરીકેની ખ્યાતિ મેળવી હતી.
🙏👉રાજીવ ગાંધીએ પોતાનું બાળપણ પોતાના નાના સાથે ત્રિમૂર્તિ ભવનમાં પસાર કર્યું હતું. ઇન્દિરા ગાંઘી તે સમયે પ્રધાનમંત્રીના ઘરની સંભાળ લેતા હતા. 👉આરંભે ટૂંક સમયમાં દહેરાદૂન ખાતેની વેલ્હામ પ્રેપ શાળામાં અભ્યાસ કર્યા બાદ તરત તેઓએ હિમાલયની તળેટીમાં આવેલી નિવાસી દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સ્કૂલમાં જ તેમને પોતાના જીવનભરના અનેક મિત્રો મળ્યા હતા.
👉આગળ જતાં નાનાભાઇ સંજય પણ એ જ શાળામાં જોડાયા હતા.
શાળા અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ કેમ્બ્રિજની દ્રિતીય કોલેજમાં જોડાયા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમણે કોલેજ છોડીને લંડન ખાતેની ઇન્પિરિયલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 🔘તેમણે મિકેનીકલ અન્જિનીયરીંગ શાળામાં અભ્યાસ કર્યો હતો.
👉એ વાત સ્પષ્ટ હતી કે તેમને રાજકારણને કારકિર્દી તરીકે અપનાવવામાં રસ નહોતો.
✅તેમના વર્ગખંડના સાથી મિત્રોના જણાવ્યા મુજબ તેમની પુસ્તકની છાજલી દર્શનશાસ્ત્ર, રાજકારણ અને ઇતિહાસના પુસ્તકોથી નહીં પરંતુ વિજ્ઞાનના અને ઇજનેરશાસ્ત્રના પુસ્તકોથી લદાયેલી રહેતી હતી.
🎹🎼સંગીતમાં રૂચિ લેવામાં પણ તેઓ ગૌરવ અનુભવતા હતા. તેઓને પશ્ચિમી, શાસ્ત્રીય અને આધુનિક સંગીત પણ ગમતું હતું.
📸📷ફોટોગ્રાફી અને 📻એમેચ્યોર રેડિયોમાં પણ તેમની રૂચિ રહી હતી.
✈️આકાશમાં ઉડાન ભરવામાં તેમને ખાસ રૂચિ હતી.
✈️તેથી જ ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફરતં તેમણે 🛩દિલ્હી ફ્લાઇંગ ક્લબની🛩 પ્રવેશ કસોટી ઉત્તીર્ણ કરીને👁‍🗨✈️ કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નહોતું.
💠✈️ટૂંકમાં જ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા 🔶ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા.

🔶👉તેમના કેમ્બ્રિજના અભ્યાસકાળ દરમિયાન ઇટાલીના વતન સોનિયા માઇનો સાથે તેમની મુલાકાત થઇ હતી.
👩🏻 સોનિયા અંગેજીનો અભ્યાસ કરી રહ્યા હતા.
👭1968માં નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધી અને સોનિયા લગ્નગ્રંથિથી જોડાયા હતા. પોતાના સંતાનો રાહુલ અને પ્રિયંકા સાથે તેઓ નવી દિલ્હીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે જ રહેતા હતા. ચોમેર ચાલી રહેલી ભરચક રાજકિય પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ પોતાની અંગત જિંદગી જીવી રહ્યા હતા.

🙋‍♂🎯પરંતુ 1980ના વિમાન અકસ્માતમાં તેમના ભાઇ સંજયના થયેલા અચાનક મૃત્યુએ તેમના જીવનમાં પલટો લાવ્યો હતો. 👁‍🗨માતા પરના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણના બોજમાં તેમની મદદ કરવા માટે રાજીવ ગાંધી પર પણ રાજકારણ પ્રવેશનું દબાણ વધવા લાગ્યું.
🎯👉આરંભ તો રાજકારણમાં પ્રવેશ માટેના આ દબાણનો તેમણે સામનો કર્યો પરંતુ અંતે એ તર્કસંગત રાહ અપનાવવા ઝૂકી ગયા હતા.
🎯👉પોતાના ભાઇના મૃત્યુંને કારણે જ ખાલી પડેલી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર તેઓ પેટાચૂંટણી જીતી ગયા હતા.

💠🎯👉નવેમ્બર 1982માં ભારતે એશિયન ગેમ્સનું યજમાનપદ સંભાળતા સ્ટેડિયમ અને અન્ય માળખાકિય સુવિધા ઉભી કરવા એક વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવાનું હતું.
👏👏આ કામગીરી સમયસર પૂરી કરવા માટે અને રમતોત્સવ કોઇપણ અવરોધ કે ક્ષતિ વગર સંપન્ન થાય તે અંગેની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી. આ પડકારરૂપ કામ કરતી વખતે જ તેમણે કાર્યદક્ષતા અને સંગઠનની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. એ જ પ્રમાણે કોંગ્રેસના મહામંત્રીપદ સંભાળતા તેમણે પક્ષના સંગઠનને ઉર્જાવાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ તમામ ગુણવત્તાઓ આગળ જતાં કસોટીની એરણ પર ચઢતી રહી.

👁‍🗨👉31 ઓક્ટોબર, 1984ના રોજ તેમની માતાની થયેલી ક્રૂર હત્યાના કરુણ સંજોગોમાં પ્રધાનમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ એમ બંને પદ સંભાળવા કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે છે. છતાં તેમણે નોંધપાત્ર ગૌરવ અને નિયંત્રણ સાથે વ્યક્તિગત શોક અને રાષ્ટ્રીય જવાબદારીઓ એમ બંને ભારનું વહન કર્યું હતું.

💠♻️મહિનાભર ચાલેલા ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીએ દેશના એકખૂણેથી બીજા ખૂણે ભ્રમણ કરતાં પૃથ્વીની પરિભ્રમણ કક્ષાના અંતરથી દોઢો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન અનેક સ્થાને મળેલી 250 જેટલી બેઠકોમાં લાખ્ખો લોકોને સંબોધ્યા હતા. આધુનિક વિચારધારા અને નિર્ણાયક મિજાજ ધરાવતા રાજીવ ગાંધી વિશ્વની આધુનિક ટેક્નોલોજીથી પરિચીત હતા. તેમણે વારંવાર કહ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા કાયમ રાખવા ઉપરાંત એક હેતુ તે દેશને 21મી સદીમાં પ્રવેશ કરાવવાનો રહેશે.

♻️૧૯૯૧માં ૨૧ મે ના રોજ તમિલનાડુના શ્રી પેરૂમ્બુદુર ખાતે સવારે ૧૦ કલાકે રાજીવ ગાંધીનું સભા સ્થળે આગમન સમયે એક યુવતી થેનમોઝીહી રાજા રત્નામએ પોતાના શરીર ઉપર ૭૦૦ ગ્રામ આર. ડી.

એકસ બાંધી ચરણ સ્પર્શ કરી, માનવ બોમ્બ બની વિસ્ફોટ કરતા રાજીવ ગાંધી સાથે લગભગ ૨૫ થી વધુ નાગરીકોની જાનહાની થઈ હતી. વિશ્વમાં સંભવતઃ કોઈ મોટા રાજદ્વારીની માનવ બોંબથી હત્યાનો આ પ્રથમ બનાવ હતો.

👁‍🗨👉તેમના મૃતદેહને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં લાવવામાં આવ્યો. ત્યારબાદ અંતિમ યાત્રા વખતે ૬૦ દેશોમાં લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યુ.
🌊યમુના નદીના કિનારે સ્વ. મહાત્મા ગાંધી, સ્વ. જવાહરલાલજી નેહરૂ, સ્વ. ઈન્દીરા ગાંધી, સ્વ. સંજય ગાંધી સહિતના અગ્રણીઓની સમાધિ પાસે ‘🎯🎯‘વીર ભૂમિ”⛳️⛳️ તરીકે ઓળખાતી જગ્યા પર સમાધિ નિર્માણ કરવામાં આવી. દેશના કરોડો લોકોએ આંસુ ભીની આંખે રાજીવજીને અંતિમ વિદાય આપી હતી. આવો એ મહામાનવને હૃદયાંજલી અર્પીએ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/20, 9:04 AM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: ♻️💠♻️♻️♻️💠♻️💠♻️💠
🎯🎯🎯🎯રાજીવ ગાંધી🎯🎯
💠♻️♻️💠♻️💠💠♻️💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

      જન્મતારીખ : ૨૦મી ઓગસ્ટ ૧૯૪૪
      જન્મ સ્થળ : મુંબઈ
      મૃત્યુ તારીખ : ૨૧મી મે ૧૯૯૧
      હાલની વય : ૪૭
      મૃત્યુ સ્થળ : શ્રી પેરામ્દુર, ચેન્નાઈ
      નાગરિકતા : ભારતીય
      રાજકીય પાર્ટી : ભારતીય કોંગ્રેસ
      પત્નિ : સોનિયા ગાંધી
      સંબંધ : નહેરુ-ગાંધી પરિવાર
      બાળકો : રાહુલ ગાંધી, પ્રિયંકા વાઢેરા
      માતા-પિતા : ફિરોઝ ગાંધી-ઇન્દિરા ગાંધી
      ધર્મ : હિન્દુ
      સિદ્ધિ : ભારત રત્ન (૧૯૯૧)

રાજીવ ગાંધી ૧૯૮૪થી ૧૯૮૯ના ગાળા દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધીની ઘાતકી હત્યા ૧૯૮૪માં કરવામાં આવ્યા બાદ રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. આની સાથે જ તેઓ ભારતના સૌથી નાની વયના વડાપ્રધાન બની ગયા હતા. રાજકીયરીતે શક્તિશાળી નહેરુ ગાંધી પરિવારમાં ગાંધી આઈકન તરીકે ઉભરી આવ્યા હતા. તેમના બાળપણના ગાળા દરમિયાન તેમના ઉપર નાના જવાહરલાલ નહેરુ અને માતા ઇન્દિરા ગાંધીનું ખુબ પ્રભુત્વ રહ્યું હતું. ગાંધી બ્રિટનના કોલેજમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. તેઓ ૧૯૬૬માં ભારત પરત ફર્યા હતા અને સરકારી ઇન્ડિયન એરલાઈન્સમાં પ્રોફેશનલ પાયલોટ તરીકે બની ગયા હતા. ૧૯૬૮માં રાજીવ ગાંધીએ સોનિયા ગાધી સાથે લગ્ન કર્યા હતા અને આ લોકો દિલ્હીમાં સ્થાયી થયા હતા. તેમના બે બાળકો થયા હતા જેમાં રાહુલ અને પ્રિયંકાનો સમાવેશ થાય છે. ૧૯૭૦ના ગાળામાં તેમના માતા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે હતા અને ભાઈ સંજય ગાંધી સાંસદ તરીકે હતા. આ છતાં રાજીવ ગાંધી રાજનીતિથી દૂર રહ્યા હતા. ૧૯૮૦માં વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીના મોત બાદ ઇન્દિરા ગાંધીની સૂચનાથી રાજીવ ગાંધી રાજનીતિમાં આવ્યા હતા. આગલા વર્ષે તેઓ અમેઠી બેઠક પરથી જીતી ગયા હતા અને લોકસભામાં સભ્ય બન્યા હતા. ત્યારબાદ રાજીવ ગાંધી કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા હતા. ૧૯૮૨માં એશિયન ગેમ્સનું આયોજન કરવાની તેમને મોટી જવાબદાર સોંપાઈ હતી. ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે સવારમાં તેમની માતા ઇન્દિરા ગાંધીની તેમના જ બે બોડીગાર્ડ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. મોડેથી ગાંધી વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમની લીડરશીપમાં આગામી થોડાક દિવસ દરમિયાન શીખ વિરોધી રમખાણનો દોર ચાલ્યો હતો. દિલ્હીમાં પણ હિંસા ભડકી ઉઠી હતી. એ વખતે ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ તરફી સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હજુ સુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી જેમાં ૫૪૨ બેઠક પૈકી ૪૧૧ બેઠક કોંગ્રેસે જીતી હતી. રાજીવ ગાંધી સત્તામાં હતા ત્યારે ઘણા વિવાદમાં રહ્યા હતા. ભોપાલ ગેસ દુર્ઘટના અને શાહબાનોના કેસ સપાટી ઉપર આવ્યા હતા. એલટીટીઈની નારાજગી પણ રાજીવ ગાંધીને ભારે પડી હતી. ગાંધી ૧૯૯૧માં ચૂંટણી સુધી કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. ચૂંટણી પ્રચાર વેળા એલટીટીઈ તરફથી આત્મઘાતી બોંબર દ્વારા તેમને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં ૨૧મી મે ૧૯૯૧ના દિવસે ૪૬ વર્ષની વયે તેમનું મોત થયું હતું. ત્યારબાદ તેમના વિધવા સોનિયા ગાંધી ૧૯૯૮માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. ૨૦૦૪માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ જીત મેળવી હતી. ૨૦૦૯ સંસદીય  ચૂંટણીમાં પણ કોંગ્રેસની સોનિયા ગાંધીના કારણે જીત થઇ હતી. તેમના પુત્ર રાહુલ સંસદના સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા છે. ૧૯૯૧માં સરકારે રાજીવ ગાંધીને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️♻️💠💠♻️
🔰♻️રાજીવ ગાંધી♻️♻️
💠♻️💠♻️💠♻️💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

શ્રી રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના નાના પંડિત જવાહરલાલ નહેરુએ પ્રધાનમંત્રી પદની 17 વર્ષની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તેઓ 58 વર્ષના હતા.

દેશમાં પેઢીગત પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી પ્રાપ્ત થઇ હતી. હત્યાના ભોગ બનેલા તેમના માતા ઇન્દિરા ગાંધીના રાષ્ટ્રીય શોકની અવધી પૂરી થતાં જ સંસદના સીધા ચૂંટાયેલા સભ્યોથી રચાતા લોકસભા ગૃહ માટે સામાન્ય ચૂંટણીના આદેશ આપ્યા હતા. તે ચૂંટણીમાં કોંગ્રેસને ભૂતકાળની ચૂંટણીઓની તુલનામાં ઉંચા પ્રમાણમાં મત મળતાં લોકસભાની કુલ 508 પૈકી 401 બેઠકો પર કબજો કર્યો હતો.

70 કરોડ ભારતીયોના નેતા તરીકે તેમણે કરેલી પ્રભાવશાળી શરૂઆતને કોઇ પણ સંજોગોમાં નોંધપાત્ર જ કહી શકાય. રાજીવ ગાંધીની ખાસ વિશેષતા એ રહી છે કે તેઓ ચાર સદી સુધી ભારતની સેવા કરનારા એક રાજકારણી પરિવારમાંથી આવતા હોવા છતાં રાજકારણમાં પ્રવેશ કરવા નહોતા માગતા અને પ્રવેશ પણ મોડો જ કર્યો હતો. તેમના પરિવારનું સ્વાતંત્ર્ય સંગ્રામ અને તે પછી પણ દેશને મોટું પ્રદાન રહ્યું હતું.

રાજીવ ગાંધીનો 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો. ભારત આઝાદ થયું અને તેમના નાના દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ ત્રણ જ વર્ષના હતા. તેમના માતા પિતાએ લખનઉ છોડીને નવી દિલ્હીમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા ફિરોઝ ગાંધીએ સાંસદ બનીને એક નીડર અને પરિશ્રમી સાંસદ તરીકેની ખ્યાતિ મેળવી હતી.
રાજીવ ગાંધીએ પોતાનું બાળપણ પોતાના નાના સાથે ત્રિમૂર્તિ ભવનમાં પસાર કર્યું હતું. ઇન્દિરા ગાંઘી તે સમયે પ્રધાનમંત્રીના ઘરની સંભાળ લેતા હતા. આરંભે ટૂંક સમયમાં દહેરાદૂન ખાતેની વેલ્હામ પ્રેપ શાળામાં અભ્યાસ કર્યા બાદ તરત તેઓએ હિમાલયની તળેટીમાં આવેલી નિવાસી દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સ્કૂલમાં જ તેમને પોતાના જીવનભરના અનેક મિત્રો મળ્યા હતા. આગળ જતાં નાનાભાઇ સંજય પણ એ જ શાળામાં જોડાયા હતા.
શાળા અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ કેમ્બ્રિજની દ્રિતીય કોલેજમાં જોડાયા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમણે કોલેજ છોડીને લંડન ખાતેની ઇન્પિરિયલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે મિકેનીકલ અન્જિનીયરીંગ શાળામાં અભ્યાસ કર્યો હતો.

એ વાત સ્પષ્ટ હતી કે તેમને રાજકારણને કારકિર્દી તરીકે અપનાવવામાં રસ નહોતો. તેમના વર્ગખંડના સાથી મિત્રોના જણાવ્યા મુજબ તેમની પુસ્તકની છાજલી દર્શનશાસ્ત્ર, રાજકારણ અને ઇતિહાસના પુસ્તકોથી નહીં પરંતુ વિજ્ઞાનના અને ઇજનેરશાસ્ત્રના પુસ્તકોથી લદાયેલી રહેતી હતી. સંગીતમાં રૂચિ લેવામાં પણ તેઓ ગૌરવ અનુભવતા હતા. તેઓને પશ્ચિમી, શાસ્ત્રીય અને આધુનિક સંગીત પણ ગમતું હતું. ફોટોગ્રાફી અને એમેચ્યોર રેડિયોમાં પણ તેમની રૂચિ રહી હતી.

અકાશમાં ઉડાન ભરવામાં તેમને ખાસ રૂચિ હતી. તેથી જ ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફરતં તેમણે દિલ્હી ફ્લાઇંગ ક્લબની પ્રવેશ કસોટી ઉત્તીર્ણ કરીને કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નહોતું. ટૂંકમાં જ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા.
તેમના કેમ્બ્રિજના અભ્યાસકાળ દરમિયાન ઇટાલીના વતન સોનિયા માઇનો સાથે તેમની મુલાકાત થઇ હતી. સોનિયા અંગેજીનો અભ્યાસ કરી રહ્યા હતા.

1968માં નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધી અને સોનિયા લગ્નગ્રંથિથી જોડાયા હતા. પોતાના સંતાનો રાહુલ અને પ્રિયંકા સાથે તેઓ નવી દિલ્હીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે જ રહેતા હતા. ચોમેર ચાલી રહેલી ભરચક રાજકિય પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ પોતાની અંગત જિંદગી જીવી રહ્યા હતા.
પરંતુ 1980ના વિમાન અકસ્માતમાં તેમના ભાઇ સંજયના થયેલા અચાનક મૃત્યુએ તેમના જીવનમાં પલટો લાવ્યો હતો. માતા પરના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણના બોજમાં તેમની મદદ કરવા માટે રાજીવ ગાંધી પર પણ રાજકારણ પ્રવેશનું દબાણ વધવા લાગ્યું. આરંભ તો રાજકારણમાં પ્રવેશ માટેના આ દબાણનો તેમણે સામનો કર્યો પરંતુ અંતે એ તર્કસંગત રાહ અપનાવવા ઝૂકી ગયા હતા. પોતાના ભાઇના મૃત્યુંને કારણે જ ખાલી પડેલી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર તેઓ પેટાચૂંટણી જીતી ગયા હતા.

નવેમ્બર 1982માં ભારતે એશિયન ગેમ્સનું યજમાનપદ સંભાળતા સ્ટેડિયમ અને અન્ય માળખાકિય સુવિધા ઉભી કરવા એક વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવાનું હતું. આ કામગીરી સમયસર પૂરી કરવા માટે અને રમતોત્સવ કોઇપણ અવરોધ કે ક્ષતિ વગર સંપન્ન થાય તે અંગેની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી. આ પડકારરૂપ કામ કરતી વખતે જ તેમણે કાર્યદક્ષતા અને સંગઠનની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. એ જ પ્રમાણે કોંગ્રેસના મહામંત્રીપદ સંભાળતા તેમણે પક્ષના સંગઠનને ઉર્જાવાન બનાવવામાં મહત્વની

ભૂમિકા નિભાવી હતી. આ તમામ ગુણવત્તાઓ આગળ જતાં કસોટીની એરણ પર ચઢતી રહી.
31 ઓક્ટોબર, 1984ના રોજ તેમની માતાની થયેલી ક્રૂર હત્યાના કરુણ સંજોગોમાં પ્રધાનમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ એમ બંને પદ સંભાળવા કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે છે. છતાં તેમણે નોંધપાત્ર ગૌરવ અને નિયંત્રણ સાથે વ્યક્તિગત શોક અને રાષ્ટ્રીય જવાબદારીઓ એમ બંને ભારનું વહન કર્યું હતું

મહિનાભર ચાલેલા ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીએ દેશના એકખૂણેથી બીજાખૂણે ભ્રમણ કરતાં પૃથ્વીની પરિભ્રમણ કક્ષાના અંતરથી દોઢો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન અનેક સ્થાને મળેલી 250 જેટલી બેઠકોમાં લાખ્ખો લોકોને સંબોધ્યા હતા.

આધુનિક વિચારધારા અને નિર્ણાયક મિજાજ ધરાવતા રાજીવ ગાંધી વિશ્વની આધુનિક ટેક્નોલોજીથી પરિચીત હતા. તેમણે વારંવાર કહ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા કાયમ રાખવા ઉપરાંત એક હેતુ તે દેશને 21મી સદીમાં પ્રવેશ કરાવવાનો રહેશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Yuvirajsinh Jadeja:
વર્ષ 1999માં ઉપલી અદાલતે મુરુગન, સંથાન, પેરરિવલન અને નલિનીને મોતની સજા ફટકારી હતી.
જે પછીથી ઉમરકેદમાં તબદીલ થઈ હતી. થેનમોઝી રાજરત્નમ ઉર્ફે ધનુએ લિબ્રેશન ટાઈગર્સ ઓફ તાલિમ ઈલમ આત્મઘાતી બોમ્બર હતી. તેણીએ પોતાના કમર પર બાંધેલા વિસ્ફોટકોને ઉડાવીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી નાખી હતી. નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઈ કોલેજના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગના વડા જ્યારે પી.આર.એલ ( ફિઝીક્લ રીસર્ચ લેબોરેટરી), ઈસરો સાથે કામ કરતા હતાં ત્યારે તે ડોસ આધારિત પોર્ટ્રેટ સિસ્ટમ વિકસાવી હતી.

આ ઉપરાંત રાજીવ ગાંધીની હત્યા થઈ તે દરમ્યાન અનેક સાક્ષીઓ હતા. જે કારણોસર આ સિસ્ટમથી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ને ગુનેહગારોના સ્કેચ બનાવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી ન હતી. જેમાં હત્યામાં સામેલ સિવસરન, મુરુગન, નલિનીના પોર્ટ્રેટ સાક્ષીઓના જણાવ્યા અનુસાર બનાવ્યાં હતાં.

નેશનલ એજ્‍યુકેશન પોલીસી તેમજ સમગ્ર દેશમાં કોમ્‍યુનિકેશન, ઈલેકટ્રોનિકસ, ઓટોમોબાઈલ્‍સની ક્રાંતિના બુનિયાદી સમાન રાષ્‍ટ્રના પનોતા પુત્ર સ્‍વ. રાજીવ ગાંધીની આજે પૂણ્‍યતિથિ .
   દેશના સાતમા યુવા વડાપ્રધાન તેમજ પ્રતિભા સંપન્‍ન વ્‍યકિતત્‍વ ધરાવતા રાજીવ ગાંધીનો જન્‍મ તા. ૨૦-૮-૧૯૪૪ના રોજ મુંબઈ ખાતે થયો હતો.  રાજીવ ગાંધીએ પ્રારંભિક શિક્ષણ વેલ્‍હામ બાયઝ દુન સ્‍કુલ દેહરાદૂન, ત્‍યારબાદ ટ્રીનીજ કેમ્‍બરીઝ કોલેજ - ઈમ્‍પેરીયલ કોલેજ લંડનમાં લીધુ હતું.
   ૧૯૬૬માં પ્રોફેશ્નલ પાયલોટ તરીકે ઈન્‍ડિયન એર લાઈન્‍સમાં જોડાયા અને આકાશમાં ઉડવાનું બચપણનું સ્‍વપ્‍નુ સાકાર કરેલ. રાષ્‍ટ્રના પ્રેરણાષાોત નાના સ્‍વ. જવાહરલાલ નેહરૂ પિતાશ્રી ફિરોઝ ગાંધી માતા સ્‍વ. ઈન્‍દીરા ગાંધી હતા.
   ૧૯૬૮માં ‘‘માઈનો'' નામની ઈટાલીયન પ્રતિભા યુવતિના ગળાડૂબ પ્રેમમાં હતા અને પરિવારની સંમતિથી બંનેએ લગ્ન કર્યા. લગ્ન બાદ યુવતીનું નામ સોનીયા ગાંધી રાખવામાં આવ્‍યુ હતું. આ દંપતિ દિલ્‍હી ખાતે સેટલ થયા. બે બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો જન્‍મ થયો હતો.
   ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ શીખ બોડી ગાર્ડ દ્વારા શ્રીમતી ઈન્‍દીરા ગાંધીની હત્‍યા કરવામાં આવી. ઓપરેશન બ્‍લુ સ્‍ટારની ગેર સમજણના લીધે રાષ્‍ટ્રની આયર્ન લેડીનો ભોગ લેવાયો. દેશમાં અંધાધૂંધી ન ફેલાય તે માટે તેમને વડાપ્રધાન પદ ગ્રહણ માટે સમજાવવામાં આવ્‍યા અને રાજીવજી વડાપ્રધાન બન્‍યા
   ૧૯૮૭માં શ્રીલંકા અને તામિલનાડુના શ્રી પેરૂમ્‍બુદુર ખાતે સવારે ૧૦ કલાકે રાજીવ ગાંધીનું સભા સ્‍થળે આગમન ટાંકણે એક યુવતી થેનમોઝીહી રાજા રત્‍નામએ પોતાના શરીર ઉપર ૭૦૦ ગ્રામ આર. ડી. એકસ બાંધી ચરણ સ્‍પર્શ કરી, માનવ બોમ્‍બ બની વિસ્‍ફોટ કરતા રાજીવ ગાંધી સાથે લગભગ ૨૫ થી વધુ નાગરીકોની જાનહાની થઈ હતી. વિશ્વમાં સંભવતઃ કોઈ મોટા રાજદ્વારીની માનવ બોંબથી હત્‍યાનો આ પ્રથમ બનાવ હતો.
   તેમના મૃતદેહને ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સમાં લાવવામાં આવ્‍યો. ત્‍યારબાદ અંતિમ યાત્રા વખતે ૬૦ દેશોમાં લાઈવ ટેલીકાસ્‍ટ કરવામાં આવ્‍યુ. યમુના નદીના કિનારે સ્‍વ. મહાત્‍મા ગાંધી, સ્‍વ. જવાહરલાલજી નેહરૂ, સ્‍વ. ઈન્‍દીરા ગાંધી, સ્‍વ. સંજય ગાંધી સહિતના અગ્રણીઓની સમાધિ પાસે ‘‘વીર ભૂમિ'' તરીકે ઓળખાતી જગ્‍યા પર સમાધિ નિર્માણ કરવામાં આવી. દેશના કરોડો લોકોએ આંસુ ભીની આંખે રાજીવજીને અંતિમ વિદાય આપી હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt